Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 49

background image
: ૧૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
છે, તેમ બારઅંગ કાંઈ પુસ્તક વાંચીને નથી ભણાતા, એ તો અંદરથી ચૈતન્યદરિયો
ઉલ્લસીને બારઅંગનું જ્ઞાન ખીલી જાય છે. અહા, અગાધ ચૈતન્યસાગર પાસે તો
બારઅંગનું જ્ઞાન પણ એક નાના તરંગ જેવું છે; એનાથી અનંતગણી તાકાત
કેવળજ્ઞાનમાં છે. પણ એ જ્ઞાન બહારના સાધનોથી નથી થતું. જેમ બહારથી પાણી
રેડીને દરિયામાં ભરતી લાવી શકાતી નથી, દરિયો પોતે મધ્યબિંદુથી ઉલ્લસતાં
ભરતી આવે છે. તેમ ચૈતન્યસમુદ્ર–આત્મામાં ઈન્દ્રિયો દ્વારા કે રાગદ્વારા જ્ઞાનની
ભરતી લાવી શકાતી નથી, જ્ઞાન પોતે પોતામાં એકાગ્ર થઈને મધ્યબિંદુથી ઉલ્લસતાં
કેવળજ્ઞાનની ભરતી આવે છે; અથવા સમ્યગ્દર્શનરૂપી ચંદ્રમાવડે શ્રુતનો સાગર
ઉછળે છે. અને જેમ સૂર્યનો તીવ્રતાપ પણ સમુદ્રની ભરતીને રોકી શકતો નથી, તેમ
પ્રતિકૂળતાના ગંજ પણ જ્ઞાનના વિકાસને રોકી શકતા નથી, શુદ્ધદ્રષ્ટિના બળે પોતે
પોતામાં એકાગ્ર થઈને જ્ઞાનદરિયો ઉછળવા લાગ્યો તેને કોઈ રોકી શકે નહિ.
આત્માની શુદ્ધદ્રષ્ટિ વગરના જ્ઞાનને જ્ઞાન કહેતા નથી. કેમકે તેની એકાગ્રતા જ્ઞાનમાં
નથી, તે તો રાગમાં એકાગ્ર થઈને વર્તે છે. એવા બહારના જાણપણાની મોક્ષમાર્ગમાં
કાંઈ કિંમત નથી. જે જ્ઞાન અંતર્મુખ થઈને પોતાના આત્માને ન સાધે એની શી
કિંમત!–એને તે જ્ઞાન કોણ કહે? શુદ્ધદ્રષ્ટિવડે જ જ્ઞાનનો પાર પમાય છે, ને
મોક્ષમાર્ગ સધાય છે. દર્શનહિન જીવ તપ વગેરે ક્રિયા કરીને પણ (
हिंडंति संसारे)
સંસારમાં જ ભમે છે–એમ તારણસ્વામીએ પણ કહ્યું છે.
આત્મા જિનસ્વરૂપ છે, અરિહંત જેવો જ એનો સ્વભાવ છે; આવા
વિમલસ્વભાવના અવલંબન વડે કર્મબંધનનો ક્ષય કરીને આત્મા સ્વયં અનંત
ચતુષ્ટયસહિત સિદ્ધિ–સંપદા પ્રાપ્ત કરે છે.
જુઓ, આ શુદ્ધઉપદેશ! અહો! સિદ્ધ જેવો એક પ્રકારનો મારો સ્વભાવ છે,
સિદ્ધમાં ને મારામાં કાંઈ ફેર નથી;–આવો શુદ્ધઉપદેશ ભગવાને આપ્યો છે. (–‘સર્વ
જીવ છે સિદ્ધસમ........જે સમજે તે થાય’) શ્રીમદ્રાજચંદ્ર પણ કહે છે કે–
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ
બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.
આવા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખવું તે ભગવાનના ઉપદેશનો સાર છે;
સિદ્ધમાં જેમ રાગાદિ નથી તેમ મારા સ્વભાવમાં પણ રાગાદિ નથી; સિદ્ધ
ભગવાનને સ્વભાવના આશ્રયે કર્મ–બંધન છૂટીને સિદ્ધદશા પ્રગટ થઈ છે, તેમ મને
પણ મારા