Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 48

background image
: ૩૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
જીવ અજીવનું ભેદજ્ઞાન કરીને
વીતરાગ થવું તે. (વીતરાગવિજ્ઞાન)
૨૮૮. જીવે શેનો વિચાર નથી કર્યો?
પોતાના સ્વરૂપનો સાચો વિચાર કદી
નથી કર્યો.
૨૮૯. જીવની ચાલ કેવી છે? અજીવની
ચાલ કેવી છે?
જીવની ચાલ ચેતનરૂપ છે; અજીવની
ચાલ જડરૂપ છે.
૨૯૦. અરિહંતનું નામ લેવાથી
મિથ્યાત્વ છૂટી જાય?
ના; તેમનું સ્વરૂપ ઓળખે તો
મિથ્યાત્વ છૂટે.
૨૯૧. અજ્ઞાની જીવ શેમાં અહંપણું કરે
છે? શરીરમાં ને રાગમાં.
૨૯૨. જીવે અહંપણું શેમાં કરવું
જોઈએ?
પોતાના ઉપયોગસ્વરૂપમાં
(અહંપણું એકત્વબુદ્ધિ)
૨૯૩. અરિહંત–સિદ્ધ વગેરેની સાચી
ઓળખાણ ક્યારે થાય?
ઉપયોગસ્વરૂપ આત્માને ઓળખે
ત્યારે.
૨૯૪. દેહ વગર ને ખોરાક વગર
આત્મા જીવી શકે?
હા; આત્મા સદા ઉપયોગ વડે જીવે
છે.
૨૯પ. આત્મા શેના વગર જીવી ન
શકે?
ઉપયોગ વગર એક ક્ષણ પણ જીવી
ન શકે.
૨૯૬. શરીર વગરનો કે રાગ વગરનો
જીવ હોઈ શકે?
હા.
૨૯૭. ઉપયોગ વગરનો જીવ હોઈ
શકે?
ના.
૨૯૮. ફરી ફરીને ઘૂંટવા જેવું શું છે?
ભેદવિજ્ઞાન.
૨૯૯. સાચા સામાયિક ને પ્રતિક્રમણાદિ
ધર્મ ક્યારે હોય?
મિથ્યાત્વને છોડીને સમ્યક્ત્વ કરે
ત્યારપછી.
૩૦૦. આત્માને શરીરથી જુદો જાણ્યા
વગર સામાયિક–પ્રતિક્રમણ હોય?
ના.
(વિશેષ આવતા અંકે)
अनेकान्त।......झिन्दाबाद!