ક્રિયાકાંડવડે કે બીજી કોઈ રીતે જ્ઞાનપદની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનની પ્રાપ્તિ એટલે કે
જ્ઞાનસ્વભાવનો અનુભવ તો સજાતીય એવો જ્ઞાનભાવ વડે જ થાય, પણ વિજાતીય
એવા રાગાદિ અ–જ્ઞાનમયભાવ વડે જ્ઞાનપદનો અનુભવ થઈ શકે નહિ. જ્ઞાનવડે
જ્ઞાનનો અનુભવ તે જ મોક્ષનો ઉપાય છે.
છે, એમાં તો અજ્ઞાનીઓ જડની લક્ષ્મીના લાભની ભાવના ભાવે છે; અહીં તો
આચાર્યદેવ આત્માનો લાભ થાય ને આત્મામાં અપૂર્વ નવું વરસ બેસે–એવી મંગળ વાત
સમજાવે છે. ભાઈ, રાગથી પાર એવો એકલો જ્ઞાયકસ્વભાવી તારો આત્મા છે, તે
સ્વભાવનું એકનું જ અવલંબન કરતાં તને તારા અપાર ચૈતન્યનિધાનનો લાભ થશે,
આત્મવૈભવનો તને લાભ થશે. એ જ સાચો લાભ છે.
ધર્મીનું લક્ષ નથી; તે શુદ્ધતાના દરેક ભેદો સામાન્યસ્વભાવ સાથે એકતા કરીને તેને જ
અભિનંદે છે, એટલે તે જ્ઞાનપર્યાયો અભેદ સ્વભાવની એકતાને ભેદતી નથી, પણ તેમાં
તન્મય થઈને અભેદને અભિનંદે છે.
નથી. ધર્મી જીવ રાગને નથી અભિનંદતો, તેને નથી ભેટતો, પણ પર્યાયને એકત્વ–
સ્વભાવ સાથે અભેદ કરીને આનંદ સહિત તે એકત્વને જ અભિનંદે છે, તેને જ ભેટે છે.
એમાં મહાન આત્મલાભ થાય છે ને મોક્ષપદ પમાય છે. મહાવીર ભગવાન આવા
જ્ઞાનપદને અભિનંદીને મોક્ષ પામ્યા...ને એવું જ્ઞાનપદ જગતને બતાવ્યું. હે જીવો! તમને
મોક્ષની ભાવના હોય તો તમારા આવા જ્ઞાનસ્વભાવરૂપ નિજપદને ઓળખીને તેનું
અવલંબન લ્યો...તેને જ તન્મયપણે ધ્યાવો.
જે જ્ઞાનમય એક આત્મસ્વભાવ છે તેનું જ અવલંબન લેવું; તેના અવલંબનથી