કરતા, પરને જાહેર નથી કરતા, પણ પોતાના ગુણ–પર્યાયો સાથે જ એકતાને જાહેર કરે
છે. પરથી તો જુદાપણું જાહેર કરે છે. આવું ભેદજ્ઞાન કરીને સ્વસન્મુખ થવું તે તાત્પર્ય
છે.
ધ્રુવપણું કહેતાં નિત્યતા આવી, ને ઉત્પાદ–વ્યય કહેતાં અનિત્યતા આવી; એ રીતે નિત્ય–
અનિત્યસ્વરૂપ પારમાર્થિક સત્ જણાય છે.
જ ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ વસ્તુનું સ્વરૂપ ઓળખાય છે, તેથી ગુણ–પર્યાય તે વસ્તુના
સ્વરૂપની પ્રાપ્તિમાં કારણભૂત છે. ગુણ વડે ધ્રુવતાની પ્રાપ્તિ છે ને પર્યાય વડે ઉત્પાદ–
વ્યયની પ્રાપ્તિ છે. વસ્તુને ઉત્પાદ–વ્યય–ધ્રુવવાળી કહેતાં તે ગુણ–પર્યાયવાળી છે એમ પણ
આવી જ જાય છે. ગુણ–પર્યાયો વગર ઉત્પાદ–વ્યય–ધ્રુવ સિદ્ધ થઈ શકે નહીં. આ રીતે,
વસ્તુને ઉત્પાદ–વ્યય–ધ્રુવ લક્ષણવાળી કહેતાં તેમાં બાકીનાં બે લક્ષણો (સત્પણું અને
ગુણ–પર્યાય) પણ આવી જાય છે.
કહેતાં તેમાં પણ બાકીનાં બે લક્ષણો (સત્પણું અને ઉત્પાદ–વ્યય–ધ્રુવ) પણ આવી જાય
છે. વસ્તુમાં અન્વયરૂપ ગુણો તો ધ્રુવતા સૂચવે છે, અને વ્યતિરેકરૂપ પર્યાયો ઉત્પાદ–
વ્યયને સૂચવે છે, આ રીતે ગુણ–પર્યાયો તે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ વસ્તુ જણાવે છે. ધ્રુવતા
વગર ગુણ ન હોય, ને ઉત્પાદ–વ્યય વગર પર્યાયો ન હોય.
પ્રસિદ્ધ કરે છે.