Atmadharma magazine - Ank 315
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 45

background image
: ૧૦ : : પોષ : ૨૪૯૬
ગુણ–પર્યાય સાથે એકતા નથી. વસ્તુના ઉત્પાદ–વ્યય–ધ્રુવ કોઈ બીજાને જાહેર નથી
કરતા, પરને જાહેર નથી કરતા, પણ પોતાના ગુણ–પર્યાયો સાથે જ એકતાને જાહેર કરે
છે. પરથી તો જુદાપણું જાહેર કરે છે. આવું ભેદજ્ઞાન કરીને સ્વસન્મુખ થવું તે તાત્પર્ય
છે.
उत्पाद–व्यय–धौव्ययुक्तं सत्
હવે જેમ દ્રવ્યને ‘સત્’ કહેતાં બાકીનાં બે લક્ષણ પણ તેમાં આવી જાય છે, તેમ
દ્રવ્યને ઉત્પાદ–વ્યય–ધ્રુવલક્ષણવાળું કહેતાં તેમાં પણ બાકીનાં બે લક્ષણ આવી જાય છે.
ધ્રુવપણું કહેતાં નિત્યતા આવી, ને ઉત્પાદ–વ્યય કહેતાં અનિત્યતા આવી; એ રીતે નિત્ય–
અનિત્યસ્વરૂપ પારમાર્થિક સત્ જણાય છે.
તેમજ, ધ્રુવપણું ગુણાંશ–અપેક્ષાએ છે ને ઉત્પાદ–વ્યયપણું પર્યાય–અપેક્ષાએ છે;
એ રીતે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ વસ્તુમાં ગુણ–પર્યાયો પણ જાહેર થાય છે. ગુણ–પર્યાય વડે
જ ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ વસ્તુનું સ્વરૂપ ઓળખાય છે, તેથી ગુણ–પર્યાય તે વસ્તુના
સ્વરૂપની પ્રાપ્તિમાં કારણભૂત છે. ગુણ વડે ધ્રુવતાની પ્રાપ્તિ છે ને પર્યાય વડે ઉત્પાદ–
વ્યયની પ્રાપ્તિ છે. વસ્તુને ઉત્પાદ–વ્યય–ધ્રુવવાળી કહેતાં તે ગુણ–પર્યાયવાળી છે એમ પણ
આવી જ જાય છે. ગુણ–પર્યાયો વગર ઉત્પાદ–વ્યય–ધ્રુવ સિદ્ધ થઈ શકે નહીં. આ રીતે,
વસ્તુને ઉત્પાદ–વ્યય–ધ્રુવ લક્ષણવાળી કહેતાં તેમાં બાકીનાં બે લક્ષણો (સત્પણું અને
ગુણ–પર્યાય) પણ આવી જાય છે.
गुण–पर्ययवत् द्रव्यम्
હવે, જેમ સત્ કહેતાં બાકીનાં બે લક્ષણ પણ આવી જાય છે, અને ઉત્પાદ–વ્યય–
ધ્રુવ કહેતાં પણ બાકીનાં બે લક્ષણ પણ આવી જાય છે, તેમ વસ્તુને ગુણ–પર્યાયવાળી
કહેતાં તેમાં પણ બાકીનાં બે લક્ષણો (સત્પણું અને ઉત્પાદ–વ્યય–ધ્રુવ) પણ આવી જાય
છે. વસ્તુમાં અન્વયરૂપ ગુણો તો ધ્રુવતા સૂચવે છે, અને વ્યતિરેકરૂપ પર્યાયો ઉત્પાદ–
વ્યયને સૂચવે છે, આ રીતે ગુણ–પર્યાયો તે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ વસ્તુ જણાવે છે. ધ્રુવતા
વગર ગુણ ન હોય, ને ઉત્પાદ–વ્યય વગર પર્યાયો ન હોય.
વળી ગુણ–પર્યાયમાં, ગુણ તે તો કાયમ ટકનાર નિત્ય છે, અને પર્યાયો ક્ષણે ક્ષણે
ઉત્પત્તિ–વિનાશરૂપ અનિત્ય છે; એ રીતે નિત્ય–અનિત્ય સત્ વસ્તુને ગુણ–પર્યાયો
પ્રસિદ્ધ કરે છે.