Atmadharma magazine - Ank 315
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 45

background image
: ૧૪ : : પોષ : ૨૪૯૬
પ્રશ્ન:– હું પરજીવને મારી શકું છું–એમ જીવ માને તો શું થાય છે?
ઉત્તર:– એ માન્યતા વડે જીવના પોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણ તો હણાય જ છે એટલે
આત્મહિંસા તો થાય જ છે, પરજીવની હિંસા તો તેના આયુષ્ય અનુસાર થાય
કે ન થાય, તેની સાથે આને સંબંધ નથી. આ જીવે રાગ–દ્વેષ વગરના પોતાના
ચૈતન્યજીવનને ન જાણ્યું ને રાગ સાથે એકતાબુદ્ધિ વડે પોતાના ચૈતન્યપ્રાણને
પોતે હણ્યા, તે જ હિંસા છે.
પ્રશ્ન:– તે આત્મહિંસા કેમ અટકે?
ઉત્તર:– હું ચૈતન્યભાવ જ છું, ચૈતન્યપ્રાણથી શાશ્વતજીવન જીવનારો હું છું; મારા
ચૈતન્યભાવમાં બીજાનું તો કાર્ય નથી, ને રાગાદિ ભાવો પણ મારા ચૈતન્યનું
કાર્ય નથી, –એમ શુદ્ધ ચૈતન્યભાવરૂપે જ પોતાને જાણવો–અનુભવવો, તે
અહિંસાધર્મ છે, તેમાં પોતાના ચૈતન્યપ્રાણની રક્ષા છે.
પ્રશ્ન:– પરજીવને મારવાના ભાવ તો દૂર રહો, પણ પરજીવોને હું બચાવી દઉં–એમ
માને તો શું થાય?
ઉત્તર:– તો એમાં પણ તે મિથ્યામાન્યતા વડે જીવના પોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણ તો
હણાય છે. જીવ ચેતનભાવરૂપ છે, તેનું કામ ચેતવાનું એટલે કે જાણવાનું જ છે;
તેને બદલે પરનો સ્વામી થઈને, પોતાના ચેતનભાવમાં પરજીવના જીવનનું
સ્વામીત્વ માને છે, તથા પરને બચાવવાના રાગનું કાર્ય ચેતનમાં માને છે, તે
રાગવગરના પોતાના ચેતનપ્રાણને હણીને હિંસા કરે છે, તે અધર્મ છે.
પ્રશ્ન:– તે અધર્મ અને હિંસા કેમ છૂટે?
ઉત્તર:– શુભરાગથી પણ જુદો ચૈતન્યભાવ જ હું છું, મારા ચૈતન્યને ટકવા માટે,
જીવવા માટે રાગની જરૂર નથી, એટલે ચૈતન્યને રાગ સાથે એકપણું નથી;
ચૈતન્યપ્રાણથી શાશ્વત જીવનારો હું છું, રાગથી હું જીવનારો નથી. પરને