ઉત્તર:– એ માન્યતા વડે જીવના પોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણ તો હણાય જ છે એટલે
કે ન થાય, તેની સાથે આને સંબંધ નથી. આ જીવે રાગ–દ્વેષ વગરના પોતાના
ચૈતન્યજીવનને ન જાણ્યું ને રાગ સાથે એકતાબુદ્ધિ વડે પોતાના ચૈતન્યપ્રાણને
પોતે હણ્યા, તે જ હિંસા છે.
ઉત્તર:– હું ચૈતન્યભાવ જ છું, ચૈતન્યપ્રાણથી શાશ્વતજીવન જીવનારો હું છું; મારા
કાર્ય નથી, –એમ શુદ્ધ ચૈતન્યભાવરૂપે જ પોતાને જાણવો–અનુભવવો, તે
અહિંસાધર્મ છે, તેમાં પોતાના ચૈતન્યપ્રાણની રક્ષા છે.
તેને બદલે પરનો સ્વામી થઈને, પોતાના ચેતનભાવમાં પરજીવના જીવનનું
સ્વામીત્વ માને છે, તથા પરને બચાવવાના રાગનું કાર્ય ચેતનમાં માને છે, તે
રાગવગરના પોતાના ચેતનપ્રાણને હણીને હિંસા કરે છે, તે અધર્મ છે.
ઉત્તર:– શુભરાગથી પણ જુદો ચૈતન્યભાવ જ હું છું, મારા ચૈતન્યને ટકવા માટે,
ચૈતન્યપ્રાણથી શાશ્વત જીવનારો હું છું, રાગથી હું જીવનારો નથી. પરને