તરત પારસનગરના પ્રાંગણમાં જૈન ઝંડારોપણ થયું હતું. ઝંડારોપણની ઉછામણી
ભાઈશ્રી ધન્યકુમારજી મોતીરામજી બેલોકર (ઢલાસા) એ લીધી હતી.
ગુજરાતીભાષાઓ સમજવામાં પરસ્પર થોડી કઠિણાઈ હોવા છતાં, હજારો શ્રોતાજનો
એકાગ્રચિત્તે અધ્યાત્મવાણી સાંભળતા હતા. રાત્રે શરૂના બે દિવસ સુંદર અધ્યાત્મચર્ચા
ચાલતી હતી. આ પ્રતિષ્ઠા પ્રસંગે વિશેષ જ્ઞાનપ્રચાર અર્થે ‘જૈનબાળપોથી’ ની મરાઠી
આવૃત્તિની દશહજાર નકલ આબાલ–વૃદ્ધ સૌને ભેટ આપવામાં આવી હતી,–જેનો પ્રારંભ
ગુરુદેવના સુહસ્તે થયો હતો. મહોત્સવના પ્રારંભમાં પંચપરમેષ્ઠી ભગવંતોનું
પૂજનવિધાન થયું હતું.
પાર્શ્વનાથપ્રભુના થયા હતા. પિતા–માતાની સ્થાપનાનું સૌભાગ્ય ખેરાગઢના શેઠશ્રી
ખેમરાજ કપુરચંદ તથા તેમના ધર્મપત્ની શ્રી ઝનકારીબેનને પ્રાપ્ત થયું હતું આની
ખુશાલીમાં તેમના તરફથી રૂા. ૧૧, ૧૧૧/–શિરપુર પ્રતિષ્ઠાફંડમાં આપવામાં આવ્યા
હતા. ૧૬ ઈન્દ્ર–ઈન્દ્રાણીની બોલીમાં પ્રથમ સૌધર્મ ઈન્દ્રની બોલીમાં રૂા. ૨૭, ૦૦૧/–
થયા હતા. ધન્યકુમારજીના ભાઈ મંગલચંદજી મોતીરામજી બેલોકર તથા તેમના
ધર્મપત્ની સૌ. ચેલનાદેવી, તેઓ સૌધર્મ ઈન્દ્ર તથા શચી ઈન્દ્રાણી થયા હતા. પ્રવચન
પછી ઈન્દ્રોનું વિશાળ સરઘસ ધામધૂમથી નગરીમાં ફરીને જિનેન્દ્રદેવના દર્શન–પૂજન
કરવા આવ્યું હતું. બપોરે યાગમંડલ વિધાનદ્વારા ઈન્દ્રોએ નવ દેવતાનું (અરિહંત, સિદ્ધ,
આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જિનધર્મ, જિનવાણી, જિનાલય, જિનબિંબ–એ નવ પૂજ્ય
દેવોનું) ખાસ પૂજન કર્યું હતું.
મહિમા, સ્ત્રીપર્યાયની હીનતા છતાં તેને જ તીર્થંકરની માતા થવાની મહત્તાનું સૌભાગ્ય,
વગેરેનું વર્ણન થયું, અને છમાસ પછી ભરતક્ષેત્રમાં અવતરનારા ૨૩મા