: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૨૩ :
તીર્થંકરનું તથા તેમના માતા–પિતાનું બહુમાન કરીને, આઠ કુમારિકા દેવીઓને
માતાજીની તથા બાલ તીર્થંકરની સેવામાં નિયુક્ત કરી. ભિન્ન ભિન્ન પ્રદેશની છપ્પન
કુમારિકા દેવીઓ માતાજીની સેવામાં ઉપસ્થિત થઈ હતી, ને પોતાને ધન્ય સમજતી
હતી.
વારાણસી (કાશી) નગરીમાં વિશ્વસેન રાજાની ભવ્ય રાજસભા ભરાણી હતી,
જેમાં કાશીના વિદ્વાનો પણ હાજર હતા. વામાદેવી માતાના ૧૬ સ્વપ્નોનું દ્રશ્ય, તથા
તેના ફળરૂપે સર્વત્ર આનંદનું વાતાવરણ હતું. પંચકલ્યાણક દ્વારા પ્રભુનો મહિમા
દેખીદેખીને આનંદ થતો હતો.
પ્રતિષ્ઠાવિધિ સાગરના પં. મુન્નાલાલજીએ કરાવી હતી. પૂ. શ્રી કાનજી સ્વામીના
પધારવાથી ઉત્સવનું વાતાવરણ ઘણું જ પ્રભાવશીલ બન્યું હતું. રાત્રે વિદ્વાનોના ભાષણ
બાદ કારંજાના શ્રાવિકાશ્રમની બહેનોએ ગર્ભકલ્યાણક સંબંધી ભાવભીનો સુંદર
અભિનય કર્યો હતો. માતાજી સાથે કુમારિકા દેવીઓની ચર્ચા–વિનોદ વગેરે દ્રશ્યો ઘણી
સરસ રીતે રજુ થયા હતા, તેમાંય તત્ત્વચર્ચા તો સમ્યક્ત્વનો મહિમા બતાવીને
અધ્યાત્મનો રસ જગાડનારી હતી.
બીજે દિવસે (તા. પ માહ વદ તેરસે) સવારમાં ૧૬ ઉત્તમ સ્વપ્નોનું મંગળ ફળ,
દેવીઓ દ્વારા માતાની સેવા અને તત્ત્વચર્ચાના દ્રશ્યો થયા હતા. શિરપુરના આ
પ્રતિષ્ઠામહોત્સવમાં ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોમાંથી પ્રતિષ્ઠા માટે કુલ ૨૩ પ્રતિમાજી
આવ્યા હતા, જેની યાદી નીચે મુજબ છે–
(૧) આદિનાથ ભગવાન ઢસાલા (મહારાષ્ટ્ર) (૧૩) શાંતિનાથ ભગવાન બાસીમ
(૨) પાર્શ્વનાથ ભગવાન (૪। ફૂટ) શિરપુર (૧૪) આદિનાથ ભગવાન (૪ ફૂટ) બાસીમ
(૩) પાર્શ્વનાથ ભગવાન ઢસાલા (૧પ) ધર્મનાથ ભગવાન
(૪) પાર્શ્વનાથ ભગવાન ઢસાલા કાનાતલાવ (સૌરાષ્ટ્ર)
(પ) ચંદ્રપ્રભ ભગવાન ઢસાલા (૧૬) શાંતિનાથ ભગવાન”
(૬) આદિનાથ ભગવાન ઢસાલા (૧૭) આદિનાથ ભગવાન”
(૭) પાર્શ્વનાથ ભગવાન ઢસાલા (૧૮) મહાવીર ભગવાન”
(૮) પાર્શ્વનાથ ભગવાન (૪ ફૂટ) બાસીમ (૧૯) ચંદ્રપ્રભ ભગવાન શેલુ (માનવત)
(૯) મહાવીર ભગવાન નાગપુર (૨૦) બાહુબલી ભગવાન અકોલા
(૧૦) મહાવીર ભગવાન બાસીમ (૨૧) પાર્શ્વનાથ ભગવાન અકોલા
(૧૧) પાર્શ્વનાથ ભગવાન બાસીમ (૨૨) મહાવીર ભગવાન આનસિંગ
(૧૨) પાર્શ્વનાથ ભગવાન બાસીમ (૨૩) પાર્શ્વનાથ ભગવાન આનસિંગ