Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 57

background image
: ૨૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
લખાવ્યા હતા; એકલા જન્માભિષેકમાં જ ૭પ૦૦૦ (પોણો લાખ) જેટલી આવક થઈ
હતી. ચારેકોર આનંદ–ભક્તિ–નૃત્ય અને જયજયકારના મંગલ કોલાહલ વચ્ચે
જન્માભિષેક પૂરો થયો ને ઈન્દ્રાણીએ દિવ્ય વસ્ત્રાભરણથી એ બાલતીર્થંકરને શણગાર્યા;
જિનેન્દ્ર પ્રભુની સવારી મેરુથી પાછી કાશી નગરીમાં આવી પહોંચી. માતાજીની ગોદમાં
તેમના પુત્રને સોંપીને ઈન્દ્ર–ઈન્દ્રાણીએ આનંદમય નૃત્ય કર્યું, સાથે હજારો ભક્તો
આનંદથી નાચી ઊઠયા.
આ ઉત્સવ પ્રસંગે કારંજાના ઋષભદાસજી શેઠનો પૌત્ર આવેલ, જેનું નામ પ્રદીપ
અને ઉંમર વર્ષ નવ, તે અનેક વિષયોમાં તીક્ષ્ણબુદ્ધિ ધરાવે છે, કોલેજના વિદ્યાર્થીઓ
સમક્ષ દોઢ દોઢ કલાક સુધી પ્રવચન આપી શકે છે, ધાર્મિક પ્રશ્નોના પણ સારા જવાબ
આપે છે. ગુરુદેવ સમક્ષ લગભગ અડધી કલાક તેને વાતચીત થઈ. પંડિતો પણ પ્રસન્ન
થયા. વિશેષતા એ છે કે આ બધું તેને કોઈના શીખવ્યા વગર આવડે છે. તેને એક પ્રશ્ન
એવો પૂછયો કે ભગવાનની પૂજા કરવી તે શું છે? તો કહે કે તે શુભ છે. પછી પૂછયું–
પુણ્ય અને ધર્મમાં શું ફેર? તો કહે કે–શુભ તે પુણ્ય છે, અશુભ તે પાપ છે; પણ મોક્ષમેં
જાનેકે લિયે ઉસકા કોઈ ઉપયોગ નહીં.–આવા નાનકડા સંસ્કારી બાળકો પણ જે પ્રેમથી
જૈનધર્મને ઉપાસી રહ્યા છે તે એક ગૌરવની વાત છે.
બપોરના પ્રવચન પછી પારસકુંવરનું પારણાઝૂલન થયું હતું....સમ્યક્ત્વના
પારણીયે ઝુલી રહેલા એ નાનકડા પ્રભુને માતાજી પરમ હેતથી હીંચોળતા હતા ને
હાલરડું ગાતા હતા. રાત્રે પારસકુમારને રાજતિલક કરીને રાજદરબાર ભરાયો હતો.
પારસપ્રભુની પ્રતિષ્ઠાનોઆ મહોત્સવ ખૂજ જ આનંદોલ્લાસથી ઉજવાતો હતો.
શિરપુરના આંગણે આવો મંગલ–ઉત્સવ દેખીને જૈનજનતા તો પ્રસન્ન થાય જ, નગરની
સમસ્ત જનતા પણ હર્ષવિભોર બની ગઈ હતી. નગરના મુખ્ય આગેવાનોએ સભામાં
આવીને ગુરુદેવનો સત્કાર કર્યો હતો અને એવી ભાવના વ્યક્ત કરી હતી કે મંદિર ઔર
મૂર્તિ જો કિ દિગંબરોંકા હૈ વહ ઉનકો મિલ જાના ચાહિએ. તભી શાંતિ હો સકતી હૈ કિ–
જિસકી જો ચીજ હૈ વહ ઉસકો મિલ જાય.’ અદ્્ભુત ઉત્સાહ દેખીને એક ભાઈએ તો કહ્યું
કે ઐસી ભક્તિ દેખકર પારસપ્રભુઓ ફિર અપને અસલી દિગંબરરૂપકો ધારણ કરના
પડેગા. જો ઉપરનો બનાવટી લેપ ઉખડી જાય તો પ્રભુની પ્રતિમા સ્વયં સાક્ષી આપીને
સાબિત કરી આપશે કે મૈ દિગંબરી હૂં; ઔર રેતી અને ગોબરકી નહીં અપિતુ પાષાણકી
બની હૂઈ હૂં. (અંતરીક્ષ પાર્શ્વનાથનું જે મંદિર છે તેમાં બધી જ વેદીઓમાં