ઉપર પ્રવચનો થતા હતા; તેમાં સમ્યગ્દર્શન શું અને
શ્રાવકની ભૂમિકામાં સમ્યક્ત્વસહિત કેવા ભાવો હોય,
વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર તરફ પૂજા–બહુમાન વગેરે કેવા
ભાવો હોય તેનું સુંદર વિવેચન થતું હતું; તેનો થોડો ભાગ
અહીં આપ્યો છે.
એટલી ઉગ્ર થઈ ગઈ છે કે વસ્ત્રધારણ કરવા જેટલો રાગ ત્યાં રહ્યો નથી. આમ છતાં,
મુનિદશામાં થોડા પણ વસ્ત્ર અંગીકાર કરવાનું જે માને તેને વીતરાગી મુનિદશાની
ખબર નથી; મુનિની દશામાં સંવર–નિર્જરા કેટલા તીવ્ર છે, આસ્રવ–બંધ કેટલા મંદ થઈ
ગયા છે, તેની તેને ખબર નથી; એટલે બધા તત્ત્વોમાં તેની ભૂલ છે.
શુભભાવ કેવો હોય? તેનું વર્ણન આ ઉપાસક સંસ્કાર અધિકારમાં છે.
વીતરાગતાને અનુરૂપ તેમની પ્રતિકૃતિ સ્થાપે છે. ભગવાનની પ્રતિમા પણ ભગવાન
જેવી વીતરાગ હોય, તેને વસ્ત્ર–આભૂષણ ન હોય. દિનેદિને પહેલાં પરમાત્માને યાદ
કરીને તેમના દર્શન–પૂજન કરે, એ શ્રાવકનું કર્તવ્ય છે. વીતરાગતા જેને વહાલી છે તે
સૌથી પહેલાં વીતરાગ પરમાત્માને યાદ કરીને પછી બીજા કામમાં જોડાય છે.
સર્વજ્ઞ–વીતરાગની સ્તુતિ કરવાનું મને વ્યસન છે. ધર્મીને સર્વજ્ઞ પરમાત્માનો પ્રેમ
જાગ્યો તે કદી છૂટતો નથી.