Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 57

background image
: ૩૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
* ધર્મી જીવે કેવો અનુભવ કર્યો? *
(ગોંડલ, જોરાવરનગર અને અમદાવાદના પ્રવચનમાંથી: માહ સુદ ૧૩ થી વદ ૧)
જે ધર્માત્મા થયો તે પોતાના આત્માને કેવો અનુભવે છે? તેનું અલૌકિક વર્ણન
આ ૩૮ મી ગાથામાં કર્યું છે–
હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન–દર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે.
આત્મા જ્ઞાન–આનંદથી પરિપૂર્ણ, દેહથી ભિન્ન અરૂપી વસ્તુ છે; આવો હોવા
છતાં અનાદિથી પોતે પોતાને ભૂલીને, મોહના ગાંડપણથી પરને અને પોતાને
એકમેક માનતો થકો અપ્રતિબદ્ધ રહ્યો હતો, અત્યંત અજ્ઞાની હતો. તે અજ્ઞાનનું
ગાંડપણ પણ પોતે જ પોતાને ભૂલીને ઊભું કર્યું હતું. હવે જ્ઞાની–સંત–ધર્માત્માના
ઉપદેશથી પ્રતિબુદ્ધ થયો–આત્મજ્ઞાન પામ્યો, ત્યારે આત્માને કેવો જાણ્યો? કે
પોતાના આત્માને પરમેશ્વર જાણ્યો; અહો! હું તો સર્વજ્ઞપરમાત્મા જેવો જ્ઞાન–
આનંદથી પરિપૂર્ણ છું.
જેમ મૂઠીમાં રાખેલું સોનું ભૂલી જઈને બહાર શોધે ને મૂંઝવણથી દુઃખી થાય કે
મારું સોનું ખોવાઈ ગયું; પણ કોઈએ તેને બતાવ્યું કે તારું સોનું તારી મૂઠીમાં જ પડયું
છે, ખોવાઈ નથી ગયું; માટે ભ્રમ છોડ ને મૂઠી ઉઘાડીને જો. ત્યારે પોતાની મૂઠીમાં જ
પોતાનું સોનું દેખીને જેમ આનંદિત થાય; તેમ પોતાનો ચૈતન્યપરમેશ્વર આત્માને ભૂલી
જઈને, રાગ હું–શરીર હું એમ અનુભવ કરીને મોહથી દુઃખી થયો; પોતાના આત્માને,
પોતાના ધર્મને બહાર ઢૂંઢયો. પણ જ્ઞાનીએ તેને સમજાવ્યું કે ભાઈ! તું તો ચૈતન્યસ્વરૂપ
આત્મા છો, જ્ઞાન જ તું છો; રાગ તું નથી, શરીર તું નથી. શરીરથી ને રાગથી ભિન્ન તારું
ચૈતન્યસ્વરૂપ છે તે ખોવાઈ નથી ગયું, માટે ભ્રમ છોડીને અંતરમાં જો. એ પ્રમાણે
પોતામાં જ પોતાના આત્માને દેખીને જીવ આનંદિત થાય છે. અરે! ગુરુનો પરમ
ઉપકાર છે કે વારંવાર ઉપદેશ આપીને મને મારા આત્માનું સ્વરૂપ બતાવ્યું. મારો આત્મા
તો ચૈતન્યસ્વરૂપ હતો જ, પણ હું મને ભૂલી ગયો હતો; હવે શ્રીગુરુના ઉપદેશથી મારા
આત્માને સ્વસંવેદનપ્રત્યક્ષરૂપ મેં અનુભવ્યો.
આત્મા સ્વસંવેદનપ્રત્યક્ષ છે, પોતાના અનુભવથી પોતે વેદનમાં આવે છે, એ
સિવાય બીજી કોઈ રીતે આત્મા જણાય નહીં. બહારમાં ધર્મીને કદાચ ઈન્દ્રપદનો