પરમાર્થજીવ એકરૂપ જ્ઞાનસ્વભાવ છે. વ્યવહારજીવ એટલે પર્યાયના ભેદ જેટલો જીવ તે
આખું જીવતત્ત્વ નથી. તેથી તે વ્યવહારથી જીવતત્ત્વ છે, તે અભૂતાર્થ છે, ને એટલો જ
જીવ અનુભવતાં સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન કહો કે સુખની પ્રાપ્તિ કહો, તેમાં જે
જીવ અનુભવાય છે તે જ્ઞાયકસ્વભાવરૂપ શુદ્ધ છે. વ્યવહારરૂપ જે નર–નારકાદિ પર્યાયો,
તેનાથી જુદો જ્ઞાયકભાવ છે.
તો જાણે છે કે પુણ્ય તે મારું સ્વરૂપ નથી; પુણ્યથી ભિન્ન સ્વરૂપે ધર્મી પોતાને અનુભવે
છે. પુણ્ય–પાપ તે ક્ષણિક–વિકૃતભાવ છે. અને સંવર–નિર્જરા–મોક્ષરૂપ નિર્મળ પર્યાયના
ભેદો છે તેટલું પણ જીવનું સ્વરૂપ નથી. જીવ તો અનંત જ્ઞાનસ્વભાવથી ભરેલો એકરૂપ
ધ્રુવ જ્ઞાયકભાવ છે. ધર્મી જીવ પોતાને કેવો અનુભવે છે.
આવા શુદ્ધ આત્માનો અનુભવ તે સમ્યગ્દર્શન છે, તે મોક્ષનો પ્રથમ ઉપાય છે.
દર્શન કર્યા, અને પછી હજાર માણસથી ભરપૂર મંદિરના વિશાળ હોલમાં મંગલપ્રવચન
કરતાં ગુરુદેવે કહ્યું કે–
છે, જેવું અરિહંતનું સ્વરૂપ છે તેવું જ આ આત્માનું સ્વરૂપ છે. આત્માના સ્વભાવમાં
અરિહંતપણું શક્તિપણે વિદ્યમાન છે, તે સત્ય છે, તેથી તેના ધ્યાનવડે જે આનંદ આવે છે
તે સત્ય છે. પરમાત્માનું ધ્યાન કાંઈ નિષ્ફળ નથી; આત્માના પરમ સ્વભાવમાં એકાગ્ર
થઈને પરમાત્મસ્વરૂપે તેને ધ્યાવતાં આત્મરસનો સ્વાદ આવે છે, નિજરસનો સ્વાદ
આવે છે, આનંદનો અનુભવ થાય છે આત્માની શાંતિ–આનંદનો રસ ધ્યાનમાં પ્રગટે છે
તેથી તે સફળ છે.(અનુસંધાન પૃષ્ઠ ૪૪ ઉપર)