Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 57

background image
: ૪૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
,
જે નર–નારકાદિ પર્યાયભેદો છે તે વ્યવહારજીવ છે, પરમાર્થ જીવ તેવો નથી;
પરમાર્થજીવ એકરૂપ જ્ઞાનસ્વભાવ છે. વ્યવહારજીવ એટલે પર્યાયના ભેદ જેટલો જીવ તે
આખું જીવતત્ત્વ નથી. તેથી તે વ્યવહારથી જીવતત્ત્વ છે, તે અભૂતાર્થ છે, ને એટલો જ
જીવ અનુભવતાં સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન કહો કે સુખની પ્રાપ્તિ કહો, તેમાં જે
જીવ અનુભવાય છે તે જ્ઞાયકસ્વભાવરૂપ શુદ્ધ છે. વ્યવહારરૂપ જે નર–નારકાદિ પર્યાયો,
તેનાથી જુદો જ્ઞાયકભાવ છે.
અજીવથી જુદો, બીજા જીવોથી પણ આ જીવ જુદો; પુણ્ય અને પાપતત્ત્વથી પણ
જ્ઞાયકસ્વરૂપ જીવ જુદો છે. લોકો પુણ્યને ધર્મ અને મોક્ષનું કારણ માની લ્યે છે, પણ ધર્મી
તો જાણે છે કે પુણ્ય તે મારું સ્વરૂપ નથી; પુણ્યથી ભિન્ન સ્વરૂપે ધર્મી પોતાને અનુભવે
છે. પુણ્ય–પાપ તે ક્ષણિક–વિકૃતભાવ છે. અને સંવર–નિર્જરા–મોક્ષરૂપ નિર્મળ પર્યાયના
ભેદો છે તેટલું પણ જીવનું સ્વરૂપ નથી. જીવ તો અનંત જ્ઞાનસ્વભાવથી ભરેલો એકરૂપ
ધ્રુવ જ્ઞાયકભાવ છે. ધર્મી જીવ પોતાને કેવો અનુભવે છે.
એકરૂપ જ્ઞાયકતત્ત્વ છે તે નવતત્ત્વના પર્યાયના ભેદરૂપ નથી, એટલે વ્યવહાર–
નવતત્ત્વોરૂપ નથી, વ્યવહારિક નવતત્ત્વોથી તે તદ્ન જુદો છે, એકરૂપ છે, તેથી શુદ્ધ છે.
આવા શુદ્ધ આત્માનો અનુભવ તે સમ્યગ્દર્શન છે, તે મોક્ષનો પ્રથમ ઉપાય છે.
તા. ૨૨–૭–૭૦ નારોજ અમદાવાદ પધારતાં સ્વાગતપૂર્વક જિનમંદિર આવ્યા,
આદિનાથ ભગવાનની અત્યંત મનોજ્ઞ અને ગુજરાતની સૌથી મોટી વીતરાગપ્રતિમાનાં
દર્શન કર્યા, અને પછી હજાર માણસથી ભરપૂર મંદિરના વિશાળ હોલમાં મંગલપ્રવચન
કરતાં ગુરુદેવે કહ્યું કે–
અરિહંત ભગવાન મંગળ છે, કેમકે તે શુદ્ધ આત્મા છે. આવા અરિહંતપરમાત્માનું
ધ્યાન કરતાં આત્માને શો લાભ? તો કહે છે કે પરમાર્થે આ આત્મા પોતે અરિહંતસ્વરૂપ
છે, જેવું અરિહંતનું સ્વરૂપ છે તેવું જ આ આત્માનું સ્વરૂપ છે. આત્માના સ્વભાવમાં
અરિહંતપણું શક્તિપણે વિદ્યમાન છે, તે સત્ય છે, તેથી તેના ધ્યાનવડે જે આનંદ આવે છે
તે સત્ય છે. પરમાત્માનું ધ્યાન કાંઈ નિષ્ફળ નથી; આત્માના પરમ સ્વભાવમાં એકાગ્ર
થઈને પરમાત્મસ્વરૂપે તેને ધ્યાવતાં આત્મરસનો સ્વાદ આવે છે, નિજરસનો સ્વાદ
આવે છે, આનંદનો અનુભવ થાય છે આત્માની શાંતિ–આનંદનો રસ ધ્યાનમાં પ્રગટે છે
તેથી તે સફળ છે.(અનુસંધાન પૃષ્ઠ ૪૪ ઉપર)