Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 57

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૪૧ :
(અનુસંધાન પૃષ્ઠ ૨ થી ચાલુ )
પ્રભુ! તારો અસંખ્યપ્રદેશી આત્મા અનંત ગુણની સંપદાનું ધામ છે. પુણ્ય–પાપ કે
બહારના સંયોગ એ કાંઈ તારી સંપદા નથી. તારી સંપદા તારા આત્મામાં જ્ઞાન–
આનંદથી પરિપૂર્ણ છે. તેનું ભાન કરતાં ભવનો અંત આવે છે. વીતરાગી સન્ત કહે છે
ભવના અંતની વાત! અહા! આત્મા તો અતીન્દ્રિય આનંદનો ફૂવારો છે.
સમ્યગ્દર્શન કેમ થાય? કે ચિદાનંદપ્રભુ આત્મા છે તેમાં દ્રષ્ટિ પ્રસરતાં સમ્યગ્દર્શન
થાય છે. પુણ્ય–પાપના ભાવોનો અનુભવ આકુળતારૂપ ને મલિનરૂપ છે, તેમાં
સમ્યગ્દર્શન નથી, ને તેનાથી ભવનો અંત આવતો નથી.
ભગવાન આત્મા પરના અવલંબન વગરનો નિરાલંબી છે. અંતરીક્ષ એટલે
આકાશમાં બિરાજમાન નિરાલંબી આત્મા છે. અહીં ભગવાન પાર્શ્વનાથને અંતરીક્ષ
કહેવાય છે; તીર્થંકરભગવાન સમવસરણમાં સિંહાસન ઉપર ચાર આંગળ ઊંચે બિરાજે
છે, સિંહાસનનું આલંબન તેમને નથી. જેમ આત્માનો સ્વભાવ રાગના અવલંબન
વગરનો છે તેમ સર્વજ્ઞપ્રદ પ્રગટતાં શરીર પણ નિરાલંબી એટલે કે અંતરીક્ષ થઈ જાય
છે. રાગના અવલંબનથી લાભ માને તે નિરાલંબી ભગવાનને ઓળખતો નથી. અહા,
ચૈતન્યનો સહજ સ્વભાવ, તેમાં ગુણગુણીભેદના વિકલ્પનું પણ આલંબન નથી. રાગ
અને આત્માની ભિન્નતા જાણીને ચૈતન્યસ્વરૂપને અનુભવમાં લેવું તેનું નામ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
મોક્ષનો માર્ગ રત્નત્રય છે; તેમાં પણ સમ્યગ્દર્શન મૂળ છે. તે સમ્યગ્દર્શન માટે
પહેલાં ઉદ્યમ કરવો જોઈએ. સમ્યગ્દર્શન થવાની રીત બતાવતાં પ્રવચનસારમાં આચાર્ય–
કુંદકુંદસ્વામી કહે છે કે–અરિહંત દેવના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણતાં આ આત્માનું
શુદ્ધ સ્વરૂપ પણ ઓળખાય છે, કેમકે પરમાર્થે આ આત્માનું સ્વરૂપ પણ અરિહંત જેવું જ
છે. આ રીતે શુદ્ધ આત્માને ઓળખતાં સમ્યક્ત્વ થાય છે ને મોહ નાશ પામે છે.
આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયનું યથાર્થ જ્ઞાન કરીને પછી, ચેતન પર્યાયને અને
ગુણને ધ્રુવદ્રવ્યમાં અંતર્મગ્ન કરીને શુદ્ધ વસ્તુનો અભેદ અનુભવ કરતાં મોહનો નાશ થાય
છે ને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પર્યાયને દ્રવ્ય સાથે અભેદ કરે છે, એટલે વચ્ચે મોહ
રહી શક્તો નથી. જેમ શરીરના અંગરૂપ આંગળીવડે આખા શરીરનો સ્પર્શ થાય છે, તેમ
આત્માના અંગરૂપ જે જ્ઞાનપર્યાય, તે જ્ઞાનપર્યાય વડે આખા આત્માનું