આનંદથી પરિપૂર્ણ છે. તેનું ભાન કરતાં ભવનો અંત આવે છે. વીતરાગી સન્ત કહે છે
ભવના અંતની વાત! અહા! આત્મા તો અતીન્દ્રિય આનંદનો ફૂવારો છે.
સમ્યગ્દર્શન નથી, ને તેનાથી ભવનો અંત આવતો નથી.
કહેવાય છે; તીર્થંકરભગવાન સમવસરણમાં સિંહાસન ઉપર ચાર આંગળ ઊંચે બિરાજે
છે, સિંહાસનનું આલંબન તેમને નથી. જેમ આત્માનો સ્વભાવ રાગના અવલંબન
વગરનો છે તેમ સર્વજ્ઞપ્રદ પ્રગટતાં શરીર પણ નિરાલંબી એટલે કે અંતરીક્ષ થઈ જાય
છે. રાગના અવલંબનથી લાભ માને તે નિરાલંબી ભગવાનને ઓળખતો નથી. અહા,
ચૈતન્યનો સહજ સ્વભાવ, તેમાં ગુણગુણીભેદના વિકલ્પનું પણ આલંબન નથી. રાગ
અને આત્માની ભિન્નતા જાણીને ચૈતન્યસ્વરૂપને અનુભવમાં લેવું તેનું નામ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
કુંદકુંદસ્વામી કહે છે કે–અરિહંત દેવના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણતાં આ આત્માનું
શુદ્ધ સ્વરૂપ પણ ઓળખાય છે, કેમકે પરમાર્થે આ આત્માનું સ્વરૂપ પણ અરિહંત જેવું જ
છે. આ રીતે શુદ્ધ આત્માને ઓળખતાં સમ્યક્ત્વ થાય છે ને મોહ નાશ પામે છે.
છે ને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પર્યાયને દ્રવ્ય સાથે અભેદ કરે છે, એટલે વચ્ચે મોહ
રહી શક્તો નથી. જેમ શરીરના અંગરૂપ આંગળીવડે આખા શરીરનો સ્પર્શ થાય છે, તેમ
આત્માના અંગરૂપ જે જ્ઞાનપર્યાય, તે જ્ઞાનપર્યાય વડે આખા આત્માનું