સંબંધ નથી, અત્યંત જુદાઈ છે, તેમ રાગને અને જ્ઞાનને જરાપણ સંબંધ નથી, અત્યંત
જુદાઈ છે, બંનેનું સ્વરૂપ એકબીજાથી વિપરીત, તદ્ન જુદું છે. રાગ વગરના આવા
જ્ઞાનનો અનુભવ કરવો તે સંવરધર્મ છે. ભગવાન આત્મા રાગના અવલંબન વગરનો
‘અંતરીક્ષ’ છે; તેની આ પ્રતિષ્ઠા થઈ રહી છે. અહો, આવા આત્માની વાત દિગંબર
સંતોએ જ કરી છે. દિગંબર જૈનધર્મ સિવાય બીજે ક્યાંય આવા ભેદજ્ઞાનનું યથાર્થ
સ્વરૂપ છે જ નહીં.
જ્ઞાનસ્વભાવ રાગથી જુદો છે. આવો સ્વભાવ બતાવનારૂં જે આ સમયસાર મહાન
શાસ્ત્ર, તેના લખીતંગ કુંદકુંદાચાર્યદેવ, અને સાક્ષી સર્વજ્ઞ પરમાત્માની; રચવાનું સ્થાન
પોન્નૂરદેશ. તેમાં રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરાવ્યો છે. જેવો
ચૈતન્યભાવ જ્ઞાનમાં છે તેવો ચૈતન્યભાવ રાગમાં નથી, માટે જ્ઞાન અને રાગ બંને
ભિન્નભિન્ન જાતના છે. અરે, રાગ જ્યાં ચૈતન્યની જાત જ નથી ત્યાં રાગથી ધર્મ થવાની
વાત કેવી? ચૈતન્યથી વિરુદ્ધ એવા અચેતનભાવને આત્માનું સ્વરૂપ માને તેણે આત્માને
જાણ્યો નથી, તેને જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન નથી. કારંજાનો નવવર્ષનો બાળક
(પ્રદીપ) પણ એના પોતાના ઉઘાડથી કહેતો હતો કે પુણ્ય તે મોક્ષમેં જાનેકે લિયે
ઉપયોગી નહી હૈ. પુણ્યને અને જ્ઞાનને એકબીજા સાથે આધારઆધેયપણું નથી.
સમ્યક્ત્વાદિ નિર્મળ પર્યાયો રાગના–પુણ્યના આધારે ઉત્પન્ન થતી નથી પણ આત્માના
જ આધારે ઉત્પન્ન થાય છે. અને પુણ્ય વગેરે રાગભાવની ઉત્પત્તિ થતી નથી પણ
આત્માના જ આધારે ઉત્પન્ન થાય છે. અને પુણ્ય વગેરે રાગભાવની ઉત્પત્તિ જ્ઞાનના
આધારે થતી નથી પણ અચેતનના આધારે તેની ઉત્પત્તિ થાય છે. આ રીતે જ્ઞાન અને
રાગની અત્યંત ભિન્નતા છે. આવી ભિન્નતા જાણીને ભેદજ્ઞાન કરવું તે ધર્મ છે.
આદરપૂર્વક ઝીલે છે. રાગને આદરવા જેવો માને તેને જિનવાણીની ખબર નથી.
જિનવાણીએ જ્ઞાનક્રિયાને જ આત્માની ક્રિયા બતાવી છે; ક્રોધાદિ ક્રિયા કે શરીરની
જડક્રિયા તે કાંઈ આત્માની ક્રિયા નથી. બહુ સારી વાણી બોલતાં આવડે કે ઘણા