: ૪૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
એકવાર અંતર્મુખ થઈને આત્મા પોતે પોતાને જાણે તો પરભાવોથી ભિન્નતાનું
એવું ભેદજ્ઞાન થાય કે ફરી કદી એકતાબુદ્ધિ ન થાય; જેમ પર્વત ઉપર વીજળી પડે ને
પર્વત ફાટીને બે કટકા થાય તે ફરીને રેણ દીધે સંધાય નહીં. તેમ ભેદજ્ઞાનરૂપી વીજળી
પડી ત્યાં જ્ઞાન અને રાગની એકતા એવી તૂટી કે રાગનો અંશ પણ જ્ઞાનરૂપે ભાસતો
નથી. આવું ભેદજ્ઞાન કર્યું તે જીવ સંસારને છેદીને અલ્પકાળમાં મુક્તિ પામે છે.
* આત્માની સેવાથી
મોક્ષ પમાય છે *
વ્યારા પછી સોનગઢ પાસેના ઉકાઈ (જ્યાં તાપી નદી
પર એક અબજ રૂા. ની મોટી ડેમયોજનાનું કામ ચાલીસ
હજાર માણસો દ્વારા ધમધોકાર ચાલી રહ્યું છે–ત્યાં) થઈને
માહ વદ ચોથે ધૂલિયા (धूळें) શહેર આવ્યા. એક લાખની
વસ્તીવાળા આ શહેરમાં ચાલીસ જેટલા દિ. જૈનોના ઘર છે.
એક જિનમંદિર છે. સ્વાગત બાદ જૈનઉપાશ્રયમાં
મંગલપ્રવચન થયું; શ્વેતાંબર સમાજના ભાઈઓનો પણ
સારો સહકાર હતો. બપોરે પણ ત્યાં જ પ્રવચન થયું તેમાં સ.
આ આત્મા પોતે જ્ઞાન–આનંદસ્વભાવથી ભરેલો ભગવાન છે; તેને ઓળખીને
તેની સેવાથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય છે, અને તે મોક્ષનો ઉપાય છે.
જે જીવ આત્માને ભૂલીને પોતાના સુખને માટે પરવસ્તુ માંગે છે તે ભીખારી છે;
થોડું માંગે તે નાનો માંગણ, ઝાઝું માંગે તે મોટો માંગણ; અને પરથી ભિન્ન ચૈતન્યનું
ભાન કરીને જે કાંઈ ન માંગે તે મોટો રાજા છે. ધર્મી પોતાના ચૈતન્યરાજાને જાણે છે કે
હું પોતે જ્ઞાન અને આનંદ વગેરે અનંત વૈભવનો સ્વામી છું, મારા સુખ માટે કોઈ બીજા
પદાર્થની મારે જરૂર નથી–આમ ચૈતન્યસ્વરૂપ આત્માને ઓળખીને, તેની શ્રદ્ધા કરીને,
તેનું અનુચરણ કરવું તે મોક્ષનો ઉપાય છે.