Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 50 of 57

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૪૭ :
જેમ લૌકિકમાં ધનની અભિલાષાવાળો કોઈ જીવ પહેલાં તો રાજાને ઓળખે છે
અને શ્રદ્ધા કરે છે, કે આ રાજા છે અને તેની સેવાથી મને ધનનો લાભ થશે; એમ નક્કી
કરીને પછી તે રાજાની સેવા કરે છે તેમ જે મુમુક્ષુ છે, મોક્ષનો અભિલાષી છે તે જીવે
પ્રથમ તો ચૈતન્યલક્ષણવડે આત્માને પરભાવોથી જુદો ઓળખવો. આ ચૈતન્યસ્વરૂપપણે
જે અનુભવમાં આવે છે તે ચેતનરાજા હું છું ચેતનથી જુદા અન્ય કોઈ ભાવો હું નથી.
એમ સ્વાનુભવપણે બરાબર જાણીને તથા શ્રદ્ધા કરીને પછી તેમાં ઉપયોગની
એકાગ્રતાવડે તેનું અનુસરણ કરવું. આમ કરવાથી જરૂર મોક્ષની પ્રાપ્તિ થાય છે.
રાજગૃહીના રાજા શ્રેણીક,–જે મહાવીર ભગવાનના વખતમાં હતા, તેમણે આવા
આત્માની ઓળખાણ કરી હતી પહેલાં અજ્ઞાનદશામાં મુનિની વિરાધના કરીને સાતમી
નરકનું આયુષ્ય બાંધ્યું હતું, પણ ભગવાને કહેલું આત્માનું સ્વરૂપ સમજીને તે
સમ્યગ્દર્શન પામ્યા, અને નરકનું અસંખ્યવર્ષનું આયુષ્ય ઓછું કરીને માત્ર ૮૪૦૦૦
વર્ષનું રહ્યું; તે અત્યારે પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં છે, ત્યાં પણ તેને આત્માનું ભાન છે;
ને ત્યાંથી નીકળીને ૮૨પ૦૦ વર્ષ પછી આ ભરતક્ષેત્રમાં પહેલા તીર્થંકર થશે.–કોનો
પ્રતાપ? અંદરમાં ભિન્ન આત્માનું ભાન છે, સમ્યગ્દર્શન છે; તેના પ્રતાપે એક ભવમાં
મોક્ષ પામશે.
જ્ઞાનની ક્રિયા તો આત્મામાં છે ને તે મોક્ષનું કારણ છે. પણ રાગની ક્રિયા મોક્ષનું
કારણ નથી; અને દેહાદિ જડવસ્તુની ક્રિયા તો આત્મામાં છે જ નહીં. આ રીતે જડથી
અને રાગથી અત્યંત ભિન્ન એવી પોતાની જ્ઞાનક્રિયા છે. આવું ભેદજ્ઞાન કરવાથી જ
સિદ્ધપદ પમાય છે. અનંતા જીવો સિદ્ધ થયા તેઓ भेदविज्ञान થી જ સિદ્ધ થયા છે. માટે
આત્માનું સ્વરૂપ ઓળખીને ભેદજ્ઞાન કરવું જોઈએ.
અરિહંતોની આરાધના
સર્વજ્ઞને ઓળખવા માટે આત્મસ્વભાવની સન્મુખ થવું
પડે છે. સર્વજ્ઞને કેમ ઓળખવા તેની પણ અજ્ઞાનીને ખબર
નથી. ભાઈ, સર્વજ્ઞ એટલે તારો જ્ઞાનસ્વભાવ, સર્વજ્ઞને તે
વ્યક્તરૂપ છે, તારામાં તે શક્તિરૂપ છે; તે શક્તિની સન્મુખતા
વડે સર્વજ્ઞતા વ્યક્ત થશે. માટે તારી શક્તિની સન્મુખ થઈને
તેની પ્રતીત કર તો તને સર્વજ્ઞની ખરી પ્રતીત થાય, તેનો