Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 51 of 57

background image
: ૪૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
–: જાહેરાત :–
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુંદર સગવડ
સંસ્કૃતિ, સંસ્કાર અને કેળવણીના ધામ સમા “શ્રી જૈન વિદ્યાર્થીગૃહ,
સોનગઢ”–જિલ્લો–ભાવનગર (સૌરાષ્ટ્ર) માં આપ આપનાં બાળકોને અભ્યાસ અર્થે
દાખલ કરો.
ઉપરોક્ત બોર્ડિંગ છેલ્લા ૧૮ વર્ષથી ચાલે છે. અહીં ત્રણે ફીરકાના જૈન
વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર ૧૦ થી ૧૮ વર્ષ સુધીની હોય અને જેઓ ધોરણ–પ થી
ધોરણ–૧૧ (એસ. એસ. સી–મેટ્રિક) સુધી અભ્યાસ કરતા હોય તેમને દાખલ કરવામાં
આવે છે.
માસિક ભોજનનું પૂરી ફીનું લવાજમ રૂા. ૪૦/– તથા ઓછી ફીનું લવાજમ રૂા.
૨પ/– લેવામાં આવે છે.
અહીં વિદ્યાર્થીઓને સ્કૂલના અભ્યાસ ઉપરાંત શ્રી સનાતન જૈનધર્મનો અભ્યાસ
કરાવવામાં આવે છે. ઉપરાંત મહાન આધ્યાત્મિક સંત પરમ પૂજ્ય “શ્રી કાનજી
સ્વામી” ના સત્સમાગમનો તથા તત્ત્વપૂર્ણ વ્યાખ્યાન–શ્રવણનો પણ અપૂર્વ લાભ મળે
છે. કસરત તથા બેન્ડ પણ શીખવવામાં આવે છે સમૂહ–ટયુશનની પણ વ્યવસ્થા
કરવામાં આવે છે. સવારે–સાંજે ગાયનું ચોકખું દૂધ, શુદ્ધ દેશી ઘી તથા સારો ખોરાક
આપવામાં આવે છે. અહીંની આબોહવા સૂકી, ખુશનુમા તથા આરોગ્યપ્રદ છે.
સંસ્થાનું સુંદર વિશાળ હવા–ઉજાસવાળું સ્વતંત્ર મકાન છે. દરેક વિદ્યાર્થીને સૂવા
માટે પલંગ તથા કપડાં, પુસ્તકો રાખવા એક કબાટ આપવામાં આવે છે.
નિશ્ચિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.
આથી દાખલ થવા ઈચ્છનાર વિદ્યાર્થીઓએ રૂા. ૦–૧પ પૈ. ની પોસ્ટની ટિકીટો
બીડી તા. ૨૦–૪–૭૦ સુધીમાં પ્રવેશપત્ર તથા નિયમો મંગાવી લેવાં અને તા. ૧૦–પ–
૭૦ સુધીમાં પ્રવેશપત્ર વિગતવાર ભરી વાર્ષિક પરીક્ષાના માર્કસશીટ સાથે પરત બીડવાં
લિ.–
મંત્રીઓ
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)