છે. ચાર દિગંબર જિનમંદિરો છે. સ્વાગત પછી પ્રમિલાતાઈ
કાહૂકે કહે કબહૂં ન છૂટે લોકલાજ સબ ડારી...
આનંદને અમે ઓળખ્યા, ત્યારથી અમને તેની લગની લાગી છે, તે લગની હવે કદી
છૂટે નહીં જ્ઞાનાનંદસ્વભાવની જે શ્રદ્ધા થઈ તે કદી છૂટે નહીં. હે નાથ! આત્માની જે
ખૂમારી ચડી, જે રંગ લાગ્યો તે કોઈ પ્રસંગે કદી છૂટે નહીં. આત્માના અનુભવની કોઈ
અપૂર્વ ખૂમારી જ્ઞાનીને છે, આત્માની લગની આડે લોકલાજ છોડી દીધી છે તેથી
લોકની પ્રતિકૂળતા હો તોપણ, સ્વભાવના અનુભવની ખુમારી ચડી તે ચડી, તેમાં હવે
ભંગ પડે નહીં ને બીજો રંગ લાગે નહીં. આત્માની આવી રુચિ–શ્રદ્ધા–ઓળખાણ
કરવી તે મંગળ છે.
ભૂલીને જે ભ્રમણા કરી છે તેને હવે તો છોડો. પર મારાં, શરીરાદિનાં કામ હું કરું એવી
સ્વ–પરની એકતાબુદ્ધિરૂપ અજ્ઞાનને હવે તો છોડો. અરે જગતના જીવો! આ
ચેતનસ્વરૂપ આત્મા છે તે કદી અચેતન શરીર સાથે એકમેક થતો નથી, ત્રણેકાળે તે
જડથી જુદો જ છે. જડ–ચેતનની એકતાબુદ્ધિનો જે ભ્રમ છે તેને હવે તો છોડો. અહો,
આત્માના રસિક જનોને રુચિકર એવું જ્ઞાનસ્વરૂપ છે, તે જ તમારું સ્વરૂપ છે, તેને
અનુભવમાં લઈને તેનો સ્વાદ લ્યો. ચૈતન્યરસ એ જ સાચો રસ છે, તેના ભાન વગર
ચારે ગતિમાં જીવે અનંત અવતાર કર્યા છે. તેનાથી હવે કેમ છૂટાય–તેની આ વાત છે.