: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૫૧ :
આત્માનો સમ્યક્ સ્વભાવ ચેતનરૂપ છે; તે સ્વભાવમાં સંયોગ કે પરભાવનો
પ્રવેશ થતો નથી. માટે હે જીવો! તમે મોહ છોડીને આવા સાચા સ્વરૂપનો અનુભવ કરો.
નિજઘર ચૈતન્યનિધાનથી ભરેલું છે તે કદી જોયું નહિ, ને પરઘરને–પરભાવને જ પોતાનું
સ્વરૂપ માનીને દુઃખી થયો. अपनेको आप भूलके हैरान हो गया। પણ अपनेको आप
जानकर आनन्दी हो गया।–માટે આત્માનું સાચું સ્વરૂપ શું છે તે સાંભળીને તેની
સમજણ કરવી તે અપૂર્વ ચીજ છે.
જીવને મનુષ્યપણું અને આત્માના સાચા સ્વરૂપનું શ્રવણ મળવું તે અનંતકાળમાં
દુર્લભ છે. દુર્લભ છતાં તે અનંતવાર મળી ગયું પણ श्रद्धा परम दुर्लभ છે, આત્માની સાચી
શ્રદ્ધા જીવે કદી કરી નથી; તે અપૂર્વ છે. એક સેકંડ પણ આત્મસ્વરૂપની ઓળખાણ અને
સાચી શ્રદ્ધા કરે તો અલ્પકાળમાં મુક્તિ થાય. સંસારમાં બીજું બધું તો સુલભ છે, પુણ્ય
સુલભ છે, સ્વર્ગની પ્રાપ્તિ સુલભ છે, પણ આનંદથી ભરેલો શુદ્ધ ચૈતન્યસ્વભાવ–કે જેમાં
પરભાવનો પ્રવેશ નથી,–તેની પ્રાપ્તિ, તેનો અનુભવ, તેની શ્રદ્ધા તે અપૂર્વ કલ્યાણકારી
દુર્લભ ચીજ છે. અને પોતાની ચીજ પોતામાં જ પ્રાપ્ત છે તે અપેક્ષાએ સુલભ છે.
જેમ તેલ પાણીમાં પ્રવેશતું નથી પણ ઉપર જ તરે છે, તેમ ચીકણા પરભાવો તે
સ્વચ્છ ચૈતન્યમાં પ્રવેશતા નથી પણ ઉપર જ રહે છે, ભિન્ન જ રહે છે. આવા ભિન્ન
આત્માનું ભાન કરવું તે ધર્મની શરૂઆત છે. જેમ સૂત્ર વગરની સોય ખોવાઈ જાય છે
તેમ સૂત્ર વડે જેણે શુદ્ધઆત્મા જાણ્યો નથી તે જીવ સંસારમાં ખોવાઈ જાય છે. પણ જેણે
ભેદજ્ઞાન કરીને શ્રુતજ્ઞાનરૂપી સૂત્ર આત્મામાં પરોવી દીધું તે જીવ સંસારમાં ખોવાતો
નથી, પણ અલ્પકાળમાં રાગ–દ્વેષનો નાશ કરીને મોક્ષ પામે છે. માટે આવા
મનુષ્યપણામાં આત્માને ઓળખવો તે કર્તવ્ય છે.
વીતરાગ સર્વજ્ઞદેવ કહે છે કે જેવો ભગવાન હું છું તેવો જ ભગવાન તું છો; દરેક
આત્મામાં ભગવાનપણું ભર્યું છે. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થપણામાં હોય તે પણ આવા આત્માનું
ભાન કરીને ભગવાન જેવા પોતાના આત્માને અનુભવે છે. આવો અનુભવ કરવાથી જ
આત્મામાં મોક્ષમાર્ગ પ્રગટે છે.
ગુરુદેવ એકવાર ચૈતન્યની ધૂનમાં જાણે કે આત્મિક વીણા વગાડતા હોય
તેમ મધુર ગૂંજન કરતા હતા કે–
આનંદને અજવાળે રે........
આજ મને અંતરમાં ભેટયા ભગવાન.....!