Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 45

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૧૫ :
ધારણ કરે છે, અને પછી અંતરના ધ્યાનવડે શુદ્ધોપયોગ થતાં ભાવલિંગ પ્રગટે છે, ત્યારે
સાચું મુનિપણું થાય છે.
દ્રવ્યલિંગ બે પ્રકારે–
(૧) એક તો જેને સમ્યગ્દર્શનાદિ નથી ને બહારમાં પંચમહાવ્રતના પાલન સહિત
નગ્નદિગંબર દ્રવ્યલિંગ ધારણ કર્યું છે, તો તે મિથ્યાત્વસહિત દ્રવ્યલિંગી છે;
તે નવમી ગ્રૈવેયક સુધી જાય, પણ તેને ભવકટ્ટી ન થાય, –માટે દ્રવ્યલિંગ
પરમાર્થ નથી, તે મોક્ષનું કારણ નથી. દ્રવ્યલિંગથી તેને ધર્મનો કાંઈ લાભ
નથી.
(૨) બીજું–જે જીવ સમ્યગ્દ્રષ્ટિ છે, આત્માનું ભાન છે, અને વૈરાગ્યપૂર્વક
મુનિદશાની ભાવનાથી દ્રવ્યલિંગને ધારણ કરે છે; દ્રવ્યલિંગ ધારણ કર્યા પછી
અંદર મુનિદશાને યોગ્ય શુદ્ધતા ન થઈ, સાતમું ગુણસ્થાન ન પ્રગટ્યું, –તો તે
સમ્યગ્દ્રષ્ટિ જીવ પણ દ્રવ્યલિંગી છે. તેને સમ્યગ્દર્શનના પ્રતાપે ભવકટ્ટી તો
થઈ ગઈ છે, પણ મુનિદશા હજી થઈ નથી. દ્રવ્યલિંગ હોવા છતાં તેને
ભાવલિંગ ન થયું, માટે દ્રવ્યલિંગ પરમાર્થરૂપ નથી, તે મોક્ષનું કારણ નથી.
દ્રવ્યલિંગને કારણે તેને ભવકટ્ટી નથી થઈ પણ સમ્યગ્દર્શનરૂપ ભાવશુદ્ધિને
કારણે જ ભવકટ્ટી થઈ છે.
(દ્રવ્યલિંગ ધારણ કરે એટલે ભાવલિંગ પ્રગટે જ–એવો કાંઈ નિયમ નથી; પણ
જ્યાં ભાવલિંગ પ્રગટે ત્યાં દ્રવ્યલિંગ હોય જ–એવો નિયમ છે.)
(૩) ત્રીજા પ્રકારમાં, ભાવલિંગ સહિત દ્રવ્યલિંગવાળા મુનિ છે. મુનિ થનાર તે જીવને
આત્માનું જ્ઞાન તો પહેલાંં હતું ને પછી પરિણામની ઉગ્રતા દેખીને મુનિદશાની
ભાવનાથી પહેલાંં દ્રવ્યલિંગ ધારણ કર્યું; પછી અંદરમાં શુદ્ધોપયોગના પ્રયોગથી
નિર્વિકલ્પ ધ્યાનમાં સાતમું ગુણસ્થાન પ્રગટયું, એટલે ભાવલિંગ થયું, સાચી
મુનિદશા થઈ. હવે તેને પણ જે દ્રવ્યલિંગ છે તે કાંઈ મોક્ષનું કારણ નથી એટલે તે
પરમાર્થ નથી, જે ભાવશુદ્ધિરૂપ ભાવલિંગ છે તે જ પરમાર્થ છે, તે જ મોક્ષનું
કારણ છે.