
લીધે ત્રણ લોકના રાજા છે. તીર્થંકર તો તે જ ભવે મોક્ષ પામે; અને ચક્રવર્તી
જોકે મોક્ષગામી તો છે જ પણ તે જ ભવે મોક્ષ પામે કે પછી પણ પામે.
ભરતક્ષેત્રમાં એક ચોવીસીમાં તીર્થંકરો ૨૪ થાય ને ચક્રવર્તી ૧૨ થાય.
ખંડના રાજવૈભવને છોડીને ધર્મના ચક્રવર્તી તીર્થંકર થયા. એક વાત યાદ
રાખજો કે તીર્થંકરપણું અને ચક્રવર્તીપણું એ બંને પદ તો પુણ્યપ્રકૃતિનું ફળ
છે, તે બંને વગર પણ મોક્ષ પામી શકાય છે, કેમકે આત્મગુણ તેનાથી જુદા
છે. સર્વજ્ઞતા તે આત્મગુણ છે.
રહી શકવું તેનું નામ ચારિત્રમોહ.
આત્મસ્વરૂપ જેવું છે તેવું સમજતાં દર્શનમોહ ટળે; અને પછી વીતરાગભાવે
સ્વરૂપમાં સ્થિર રહેતા ચારિત્રમોહ ટળે.
અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા!!
ઉઘાડ ન્યાયનેત્રને નીહાળ રે નીહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી. તે પ્રવૃત્તિ બાળ તું.
કહેવામાત્ર છે, ખરેખર તેમાં દુઃખ નથી, –એવા આત્માની મિત્રતા તને કેમ
ન રહી? એનો પ્રેમ તને કેમ ન આવ્યો? અને બાહ્ય વિષયો–કે જેમાં અનંત
દુઃખ છે ને સુખ તો કહેવામાત્ર જ છે, ખરેખર તેમાં સુખ નથી,
–તે વિષયોમાં તને પ્રેમ આવે છે! –આ કેવી વિચિત્રતા છે? આ તને શોભતું
નથી. –માટે તારા ન્યાયનેત્રને (જ્ઞાન–