Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 59 of 69

background image
: ૫૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
૩૪ પ્રશ્ન:– આપણે ભગવાનને વંદન શા માટે કરીએ છીએ? (મુકેશ જૈન, વઢવાણ)
ઉત્તર:–
આપણને તેમના જેવા થવાનું ગમે છે તેથી.
૩પ. પ્રશ્ન:– મુક્ત જીવ સંસારમાં કેમ નહિ આવતા હોય?
ઉત્તર:–
શું કામ આવે? સુખને છોડીને દુઃખમાં કોણ આવે?
૩૬. પ્રશ્ન:– સમવસરણ શું છે?
ઉત્તર:– તીર્થંકર ભગવાન જ્યારે ઉપદેશ આપે ત્યારે ધર્મસભા તરીકે સભામંડપ
વગેરેની અદ્ભુત રચના ઈન્દ્રો કરે છે......તે સમવસરણમાં અનેક અતિશય
હોય છે. ત્યાંની વાવડીના પાણીમાં સાત ભવ દેખાય છે, ત્યાં ભૂખ–તરસ
લાગતી નથી, મૃત્યુ થતું નથી, ગમે તેવા શત્રુઓ પણ વેરભાવ ભૂલી જાય
છે, ક્રૂર જીવો ક્રૂરતા છોડીને અહિંસક બની જાય છે, આંધળા દેખતા થઈ જાય
છે, લુલા ચાલતા થઈ જાય છે, આત્મસાધક ધર્મી જીવોનાં ટોળેટોળાં ત્યાં
નજરે પડે છે...અને સૌથી મહાન વસ્તુ સાક્ષાત્ સર્વજ્ઞપરમાત્મા અરિહંતદેવ
ત્યાં નજરે દેખાય છે ને તેમની વાણીદ્વારા ભવ્ય જીવો પોતાના શુદ્ધાત્માને
જાણીને પરમપદને સાધે છે. અહા, પ્રભુના એ સમવસરણનું વર્ણન કેમ
થાય? એને જોવાને હૈડું તલસી રહ્યું છે.
૩૭. પ્રશ્ન:– આત્માનો સાચો વ્યવહાર ક્્યો છે? (મહેન્દ્ર જૈન દાહોદ)
ઉત્તર:– ચેતનાનો વિલાસ તે આત્માનો સાચો વ્યવહાર છે, અજ્ઞાનીઓ તે
વ્યવહારને ઓળખતા નથી, ને શરીરાશ્રિત વ્યવહારને પોતાનો માનીને
સંસારમાં રખડે છે.
૩૮. પ્રશ્ન:– રૂપી અને અરૂપી એટલે શું? (ભારતીબેન જૈન, વઢવાણ)
ઉત્તર:– જેનામાં સ્પર્શ–રંગ વગેરે હોય તેને રૂપી કહેવાય છે; સ્પર્શાદિ જેમાં ન હોય
તેને અરૂપી કહેવાય છે. રૂપી પદાર્થ પુદ્ગલ જ છે, અને તે ઈંદ્રિયગમ્ય થઈ
શકે છે. અરૂપી પદાર્થ આંખ વગેરે ઈંદ્રિયોથી દેખાતા નથી. ઈન્દ્રિયદ્વારા જે
કાંઈ જણાય તે બધુંય રૂપી સમજવું.
૩૯. પ્રશ્ન:– અરૂપી હોય તે આત્મા છે–એ વાત સાચી છે?
ઉત્તર:–
તે અર્ધ સત્ય છે. કેમકે ‘આત્મા અરૂપી છે’ એ ખરૂં, પણ ‘જે કોઈ