Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 60 of 69

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૫૭ :
પદાર્થ અરૂપી છે તે બધા આત્મા’ નથી; અરૂપી પદાર્થમાં કોઈ આત્મા છે,
કોઈક જડ પણ છે. આકાશ વગેરે ચાર દ્રવ્યો અરૂપી હોવા છતાં તે આત્મા
નથી, તે જડ છે; આત્માનું અબાધિત લક્ષણ ચેતનપણું છે–જે બીજા કોઈમાં
નથી, ને આત્મામાં સદાય છે.
૪૦. પ્રશ્ન:– મંદિરમાં શાસ્ત્રની સ્થાપના શું કામ કરીએ છીએ? (નીતાબેન જૈન)
ઉત્તર:– તે વીતરાગદેવની વાણી છે અને શુદ્ધાત્માને ઓળખવામાં નિમિત્ત છે તેથી.
દેવ–ગુરુ–શાસ્ત્ર ત્રણેને પૂજનીય કહ્યા છે.
૪૧. પ્રશ્ન:– જડમાં સુખ કેમ ન હોય?
ઉત્તર:–
કેમકે તે જડ છે; સુખ તે આત્માનો ગુણ છે, તે જડમાં ન હોય.
૪૨. પ્રશ્ન:– સમ્યગ્દર્શન માટે શું કરવું જોઈએ?
ઉત્તર:–
સાચી આત્મલગનીથી તત્ત્વનો અભ્યાસ અને ધર્માત્માનો સત્સંગ.
૪૩. પ્રશ્ન:– ભગવાન ઉપર ત્રણ છત્ર હોય છે તે શું સૂચવે છે?
ઉત્તર:– ભગવાનના અષ્ટપ્રાતિહાર્યરૂપ તે વૈભવ છે. ભગવાને ત્રણ રત્ન વડે ત્રણ
લોકમાં સર્વશ્રેષ્ઠ પદ પ્રગટ કર્યું તેના પ્રતીકરૂપે ત્રણ છત્ર છે–એમ જ્ઞાનીજનો
અલંકારપૂર્વક સ્તુતિ કરે છે. વળી, ભગવાનના મુખની દિવ્યશોભા પાસે
ચંદ્રની શોભા પણ ઝંખવાઈ ગઈ, તેથી ચંદ્ર પોતે જાણે ત્રણ છત્રનું રૂપ
લઈને ભગવાનની સેવા કરવા આવ્યો હોય! ઈત્યાદિ અનેક અલંકારથી
ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે.
૪૪. સુરતથી સુરેશકુમાર ભુરાલાલ કામદાર લખે છે કે હું કોલેજિયન બાલસભ્ય
છું; આત્મધર્મ વગેરે વાંચું છું. સવારમાં ભગવાનનાં દર્શન કરીને કોલેજ
જતાં રસ્તામાં વિચાર આવ્યા કરે છે કે આ દેહ તો ક્ષણભંગુર છે; સંસારમાં
કાંઈ સાર નથી. –વારંવાર મૃત્યુની બીક લાગ્યા કરે છે....ક્્યાંય ગમતું
નથી....અમૂલ્ય માનવદેહ વેડફાઈ ન જાય, તે માટે માર્ગદર્શન આપશો.
ભાઈશ્રી, પ્રથમ તો કોલેજના અભ્યાસની વચ્ચે પણ ભગવાનનાં દર્શન અને
તત્ત્વવિચારમાં રસ લેવા માટે ધન્યવાદ! બીજું, જ્યારે ગુરુદેવ આપણને
દેહથી ભિન્ન અવિનાશી આત્મા સમજાવે છે ત્યારે મૃત્યુથી ભયભીત રહેવાની
જરૂર નથી. હા, દેહની ક્ષણભંગુરતા જાણીને આત્મહિત માટે ક્ષણે–પળે
જાગૃત રહેવું જરૂરી છે. તેમ લખો છો કે ક્્યાંય ગમતું નથી, –તો અંદર