
હોવા છતાં તેને સુખદાયક માનીને સેવ્યો, ને સમ્યગ્દર્શનપૂર્વકનો વીતરાગી ચારિત્રધર્મ
કરી એટલે તત્ત્વશ્રદ્ધામાં વિપરીતતા થઈ. એ તત્ત્વની ભૂલરૂપ મિથ્યાત્વ છોડીને, યથાર્થ
તત્ત્વ ઓળખીને સમ્યગ્દર્શન પ્રગટ કરીને અંતરમાં મોક્ષમાર્ગ પ્રગટ કરવો; તે માટે હે
આત્મા! તું સાવધાન થા.
નવતત્ત્વોનો નિર્ણય કરીને આત્માનો અનુભવ ન કરે તો અનાદિનું મિથ્યાત્વ ટળતું
નથી. તેથી જ્ઞાનીઓએ સાત તત્ત્વોની શ્રદ્ધામાં જીવની ભૂલ શું છે તે બતાવીને તે
છોડવાનો ઉપદેશ દીધો છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આનંદદાયક છે ને મિથ્યાદર્શન–
ચારિત્રને ગ્રહણ કરો, ને મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રને છોડો.
કે નહીં? ધર્મના નામે તું જે ઉપાયો અત્યાર સુધી કરતો હતો તેનું જૂઠાપણું દર્શાવ્યું તે
તેમજ છે કે નહિ? તથા સમ્યગ્દર્શનાદિ વડે સિદ્ધઅવસ્થામાં પ્રાપ્ત થતાં પરમ સુખ થાય–
એ વાત બરાબર છે કે નહીં? –આ બધું તું વિચારી જો. અને જો ઉપર કહ્યા પ્રમાણે જ
તને પ્રતીતિ આવતી હોય તો સંસારથી છૂટીને સિદ્ધપદ પામવાના અમે જે ઉપાય કહીએ
છીએ તે કર! વિલંબ ન કર. એ ઉપાય કરવાથી તારું કલ્યાણ જ થશે.
એવું સમ્યક્ સેવીએ જગતમાં જે સાર, વીતરાગવિજ્ઞાનથી થઈએ ભવથી પાર.