
શ્રી જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા શહેરમાં ફરી હતી; રાત્રે ઘાટકોપરની ભજનમંડળીએ
નાટકદ્વારા કુંદકુંદાચાર્યદેવનો મહિમા તથા જીવનપરિચય રજુ કર્યો હતો. જન્મજયંતિ
પ્રસંગે દેશભરમાંથી દોઢસો ઉપરાંત ભક્તિભર્યા શુભેચ્છા સન્દેશ આવ્યા હતા.
ઝુલી રહેતા ઉત્તમ ફળો, ને શ્રીફળનો ઢગલો–મોક્ષફળ પાકવાની આગાહી કરતા હતા.
અતીન્દ્રિય આનંદને યાદ કરીને ગુરુદેવે કહ્યું કે ભગવાન આત્માનો સ્વભાવ અતીન્દ્રિય
આનંદથી ભરપૂર છે. તેનું ભાન કરતાં પર્યાયમાં તે આનંદનો અનુભવ થાય તે મંગળ
છે. તે મુક્તિનું કારણ છે.
આવી હતી, અને સમ્યગ્દર્શન (પુસ્તક ચોથું) પૂ. ગુરુદેવને સમર્પણ કરવામાં આવ્યું
હતું, તથા સેંકડો ભક્તજનોએ આજની ૮૨મી જન્મજયંતિની ખુશાલીમાં ૮૨ રૂા. ની
રકમો નોંધાવી હતી–જેમાં રૂા. સત્તાવીશ હજાર ઉપરાંત રકમો થઈ હતી. (આ રકમ
સોનગઢ–જ્ઞાનખાતામાં વપરાય છે.
પોરબંદરમાં પૂ. ગુરુદેવનો ૮૨ મો મંગલ–જન્મોત્સવ ઉજવાયો હતો. ધન્ય બની
પોરબંદરની ધરતી....ને ધન્ય બન્યા સૌ ભક્તો. જયવંત વર્તો જગમંગલકારી ગુરુદેવ.
વૈરાગ્ય સમાચાર:– મોટા આંકડિયાવાળા શ્રી હેમકુંવરબેન પરમાણંદ ઠોસાણી વૈશાખ
પ્રત્યે અત્યંત બહુમાન હતું. તેઓ અવારનવાર સોનગઢ આવી લાભ લેતા હતા. કેન્સર
હોવા છતાં થોડા દિવસ પહેલાંં જ તેઓ પૂ. ગુરુદેવના દર્શન માટે સોનગઢ આવેલા અને
પૂ. ગુરુદેવે તેમને માંગલિક સંભળાવી આત્માનું લક્ષ રાખવા સંબંધી બે શબ્દ
કહેલા....જેથી તેઓ રોગને ભૂલી એકદમ ઉલ્લાસમાં આવી ગયા અને કહ્યું–કે શરીર
છૂટી જાય એની જરાય ચિંતા નથી. પણ અહીં સોનગઢમાં આપના ચરણોમાં આ દેહ
છૂટે એવી ભાવના છે.