Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 44

background image
: ૨૬ : આત્મધર્મ : ભાદ્રપદ : ૨૪૯૭
કહે? આ રીતે ધર્મી જીવ કુદેવ–કુગુરુ–કુધર્મને પોતે સેવે નહિ, ને બીજા સેવે તેની
પ્રશંસાદિક ન કરે; પણ બને તો તેને ઉપદેશ આપીને સાચો માર્ગ બતાવે ને કુમાર્ગથી
છોડાવે. ધર્મીગૃહસ્થ રાજાને કે માતા–પિતા વગેરે વડીલને નમે તે તો લોકવ્યવહાર છે,
તેની સાથે કાંઈ ધર્મનો સંબંધ નથી; પણ ધર્મના વ્યવહારમાં તે કુદેવ–કુગુરુને કદી નમે
નહીં. આ તો જેને સમ્યગ્દર્શનરૂપી મહારત્ન લેવું છે, ધર્મનો સાચો માલ લેવો છે તેને
માટે વાત છે; તથા જેણે સમ્યગ્દર્શનરૂપી રત્ન પ્રાપ્ત કર્યું છે તેને તે સાચવવાની વાત છે.
સમ્યક્ત્વમાં જરાય અતિચાર ન લાગે, ને શુદ્ધતા થાય–તે માટે પચીસ દોષરહિત અને
આઠ ગુણસહિત સમ્યક્ત્વની આરાધના કરવી; તેના વડે જીવનું પરમ હિત થાય છે.
બાપુ! આ તો તારા પોતાના હિતને માટે સાચા–ખોટાનો વિવેક કરવાની વાત છે.
સાચું શું ને ખોટું શું એની જેને ખબર જ નથી તે શું લેશે? ને શું છોડશે? પોતાનું હિત તે
કઈ રીતે કરશે? પરીક્ષા વડે સાચા–ખોટાને ઓળખીને નિર્ભયપણે સત્યનો સ્વીકાર કરવો
જોઈએ, ને અસત્યનું સેવન છોડવું જોઈએ. જગત સાથે મેળ રાખવા કે જગતને સારૂં
લગાડવા કાંઈ ધર્મને ન છોડાય. પોતાની શ્રદ્ધા સાચી કરવા માટેની આ વાત છે.
વીતરાગી દેવ–ગુરુ–ધર્મનો આદર ને તેનાથી વિરુદ્ધ કુદેવ–કુગુરુ–કુધર્મનો ત્યાગ,
–આટલું તો સમ્યક્ત્વની પાત્રતારૂપ પ્રાથમિક ભૂમિકામાં પણ હોવું જોઈએ. ‘ત્યાગ–
વૈરાગ્ય ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન’ એમ કહ્યું તેમાં કુદેવાદિનો ત્યાગ તો પહેલાં જ
સમજી લેવો. બીજા તો અનેક પ્રકારનાં ત્યાગ કર્યા કરે પણ કુદેવ–કુગુરુના સેવનનો
ત્યાગ ન કરે તો તેનું જરાય હિત ન થાય. અને રાગને જ્યાં ધર્મ માન્યો ત્યાં વૈરાગ્ય
ક્યાં રહ્યો? અરે, દેહથી ભિન્ન મારું અખંડ ચૈતન્યતત્ત્વ શું છે અને તેનો અનુભવ કેવો
છે? તેનું સાચું સ્વરૂપ બતાવનારા વીતરાગ સર્વજ્ઞદેવ, રત્નત્રય ગુરુ અને રાગ વગરનો
ધર્મ તથા શાસ્ત્રો જેને જે ઓળખે તેને તે ઓળખે તે જીવ તેનાથી વિરુદ્ધ બીજા કોઈને
માને નહિ, નમે નહીં, પ્રશંસે નહીં.
એક તરફથી કુન્દકુન્દાચાર્ય જેવા વીતરાગી સંતનો પોતે ભક્ત કહેવડાવે અને
બીજી તરફ એમનાથી વિરુદ્ધ કહેનારાનો પણ આદર અને શ્રદ્ધા કરે, તો એને સત્યનો
વિવેક ક્યાં રહ્યો? બાપુ! વીતરાગમાર્ગના ને વીતરાગી સંતોના વિરોધી એવા કુગુરુના
સેવનમાં તો મિથ્યાત્વની પુષ્ટિ તથા તીવ્રકષાયને લીધે આત્માનું ઘણું બૂરું થાય છે, તેથી
તેનો નિષેધ કરીએ છીએ; તેમાં કાંઈ કોઈ વ્યક્તિ પ્રત્યે