Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 44

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૭ :
૪૩ કેવળજ્ઞાન વગેરેના આધારરૂપ આવા પોતાના તત્ત્વનું અવલોકન કરીને (શ્રદ્ધા–
જ્ઞાન કરીને) જ્ઞાની તેની જ ભાવના કરે છે. આવા તત્ત્વની દ્રષ્ટિ કરીને ધર્મી કહે
છે કે આવા સહજ સ્વરૂપે હું સદાય જયવંત છું.
૪૪ આ જયવંત તત્ત્વની સન્મુખતાથી જે સમ્યક્–શ્રદ્ધા–જ્ઞાન–સુખની અનુભૂતિ પ્રગટી
તે પણ જયવંત છે.
૪૫ પરિણતિ પરભાવથી છૂટીને અંતર્મુખ થઈ ત્યારે ભાન થયું કે અહો, આવા
સ્વભાવે મારો આત્મા જયવંત છે.
૪૬ આ કોઈ વિકલ્પની વાત નથી પણ ધર્મીને પોતાને અંદર તેવા વેદનરૂપ પરિણતિ
થઈ ગઈ છે.
૪૭ ધર્મીને રાગથી નિરપેક્ષ, ઇંદ્રિયોથી નિરપેક્ષ એવા સમ્યક્ મતિશ્રુતજ્ઞાન સ્વસંવેદન–
પ્રત્યક્ષરૂપ છે, અંતર્મુખ થઈને પોતાના સહજ જ્ઞાનાદિ સ્વરૂપ આત્માને પોતે જાણે
છે.
૪૮ આત્માના સહજ સ્વભાવરૂપ નિજભાવને જ્ઞાની કદી છોડતો નથી; ને રાગાદિ
પરભાવને કદી પોતાના કરતો નથી; સહજ જ્ઞાન–દર્શન–આનંદસ્વરૂપે જ તે
પોતાને ચિંતવે છે.–
નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે;
જાણે–જુએ જે સર્વ તે હું, – એમ જ્ઞાની ચિંતવે. (૯૭)
૪૯ આત્માનો સહજ સ્વભાવ તે પરમ ભાવ છે; તે પરમ ભાવની સન્મુખ થઈને
જ્ઞાની પોતાના આત્માને કેવો ભાવે છે તેનું આ વર્ણન છે. આવા સ્વભાવની
ભાવના, એટલે કે તેમાં તન્મયભાવરૂપ પરિણતિ, તે પરમ આનંદરૂપ છે, તે
મોક્ષનું કારણ છે.
૫૦ નિજભાવ એટલે આત્માનો પરમ ભાવ; આત્માના સહજ જ્ઞાન–દર્શન–સુખ–
વીર્યસ્વભાવરૂપ નિજભાવ, તેને આત્મા કદી છોડતો નથી. સ્વભાવ અને
સ્વભાવવાન જુદા નથી કે તેને આત્મા છોડે! ચૈતન્યના આવા એકત્વ–સ્વભાવમાં
સંસાર–પરભાવનો પ્રવેશ કદી નથી.