
પરજ્ઞેયને ન પ્રકાશતો હોય ને અંતર્મુખ થઈને પોતે સ્વસંવેદનથી પોતાના સ્વરૂપને
પ્રકાશતો હોય ત્યારે પણ તેને જ્ઞાયકપણું જ છે. સ્વને પ્રકાશે કે પરને પ્રકાશે, જ્ઞાયક
તો જ્ઞાયક જ છે. પરજ્ઞેય હોય તેવી જ્ઞાનઅવસ્થા થાય તે વખતે પણ ‘આ જ્ઞાયક
છે’ એમ જ્ઞાયકપણે જ આત્મા પ્રસિદ્ધ થાય છે; તે વખતે પણ કાંઈ જ્ઞેયપણે આત્મા
પ્રસિદ્ધ થતો નથી. અરે, જે ‘જ્ઞાયકભાવ’ને પરજ્ઞેયની પણ અપેક્ષા નથી, તેને
બહારનાં માન–અપમાન કેવા?
રાગરૂપે પરિણમતું નથી; રાગથી ભિન્નપણે જ પરિણમે છે, માટે તે ‘શુદ્ધ’ છે. આવી
શુભાશુભરાગથી જુદી શુદ્ધ જ્ઞાનપરિણતિ થઈ ત્યારે આત્માને શુદ્ધપણે ઉપાસ્યો કહેવાય.
પૂર્વે નહોતું જાણ્યું એવું એકત્વસ્વરૂપ તેણે જાણી લીધું; આત્માનો જેવો વૈભવ
આચાર્યદેવે બતાવ્યો તેવો તેણે જાણી લીધો. અહા! ભગવાન આત્મા પોતે પોતાના
જ્ઞાયકસ્વરૂપે પ્રસિદ્ધ થયો...અનુભૂતિમાં પ્રગટ થયો.
તો જ્ઞાયકભાવરૂપે જ રહે છે, જ્ઞાયક કાંઈ જ્ઞાયકપણું છોડીને તે પર જ્ઞેયોરૂપે થતો
નથી. રાગને જાણનારું જ્ઞાન કાંઈ રાગરૂપ મેલું થઈ જતું નથી. અજ્ઞાની એકલા
રાગરૂપે જ પોતાનું અસ્તિત્વ માને છે, આખો જ્ઞાયકસ્વભાવ રાગ વગરનો છે તેનું
અસ્તિત્વ તેને દેખાતું નથી. જ્ઞાયકભાવરૂપે પોતાનું અસ્તિત્વ દેખે તો જ્ઞાયકસત્તા
જ્ઞાનભાવરૂપે પરિણમે, ને શુભાશુભરૂપે ન પરિણમે; એ રીતે રાગાદિથી ભિન્નપણે
ઉપાસવામાં આવતાં જ્ઞાયકભાવ શુદ્ધપણે અનુભવમાં આવે છે. શુદ્ધ આત્માનો
આવો અનુભવ કરવો તે જ આ સમયસારનું તાત્પર્ય છે. સીમંધરભગવાન પાસે
જઈને કુંદકુંદાચાર્યદેવ