Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 53

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૨૫ :
ચૈતન્યપરિણમનને ઓળખીને તેમને નમસ્કાર કરે છે તે સાચી ભક્તિ છે. પણ પરને
નમસ્કારમાં પરલક્ષ હોવાથી શુભરાગ છે; તે શુભરાગથી ચૈતન્યપરિણમન જુદું છે–એમ
તે જ્ઞાની જાણે છે. અહા, સંતો ચૈતન્યની આરાધનામાં શૂરા છે. ચૈતન્યસ્વભાવના શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રય, તે રત્નોને સાધવામાં શૂરવીર આચાર્ય–ઉપાધ્યાય–
સાધુઓ છે.
જગતમાં જડ રત્નો તો બહુ થોડા છે; પણ સમ્યકત્વાદિ ગુણરત્નો તો એકેક જીવ
પાસે અનંતા છે. તે અંનતા ચૈતન્યરત્નોનો ભંડાર આત્મા છે, તેની સન્મુખ થતાં
પર્યાયમાં પણ સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીનાં રત્નો પ્રગટે છે, ગુરુદેવ પ્રમોદથી
કહે છે કે હે રતનીયા! તું તો અનંત ચૈતન્યરત્નને ધરનારો રતનીયો છો....તું દીન નથી.
અનંત મુક્તિરત્નો, આનંદમય રત્નોનો તું ભંડાર છો....અરે હીરા! ચૈતન્યના અનંતા
હીરાનો તું ભંડાર છો, તેની સન્મુખ થતાં તને રત્નત્રય અને મોક્ષ પ્રગટશે.
અહા, આત્માની એક સ્વસંવેદનજ્ઞાનપર્યાયમાં અનંતા સિદ્ધો, લાખો અરિહંતો,
કરોડો સાધુઓ–તે બધાના સ્વરૂપનો નિર્ણય સમાઈ જાય છે, કે જેવા જ્ઞાન–આનંદનું
વેદન મને મારા સ્વસંવેદનમાં થયું તેવા જ જ્ઞાન–આનંદનું વેદન તે બધા પંચપરમેષ્ઠી
ભગવંતો કરી રહ્યા છે. જુઓ તો ખરા, સાધકના સ્વસંવેદનજ્ઞાનનું મહાન સામર્થ્ય!
આવી તાકાત શુભ વિકલ્પમાં નથી. સ્વસંવેદન જ્ઞાનમાં વિકલ્પ સમાઈ શકે નહિ.
વિકલ્પથી જુદું કામ કરનારું જ્ઞાન જ પંચપરમેષ્ઠી વગેરેના સ્વરૂપનો સાચો મહિમા જાણે
છે; અને તે જ્ઞાન અંતર્મુખ થઈને પોતાના અનંત આનંદમયમાં પ્રવૃત્તિ કરે છે;
આનંદધામ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વડે તે મોક્ષને સાધે છે–એવા સંતોના અતીન્દ્રિય
આનંદમય ચૈતન્યપરિણમનને ઓળખીને અમે ભક્તિથી તેને વંદીએ છીએ.
અહા, એ સંતો તો ચૈતન્યના નિર્વિકલ્પ શાંતરસને વેદનારા છે, ત્યાં તેમને બાહ્ય
વિષયોની કાંક્ષા કેમ હોય? તેઓ પરમ નિષ્કાંક્ષ છે. અંતરમાં પરમસુખરસના પાનથી જે
સ્વયં તૃપ્ત થયા તે હવે દુઃખજનક વિષયોને કેમ વાંછે?–આવા પરમ નિઃકાંક્ષભાવવાળા
જૈનસાધુઓ હોય છે. સ્વભાવનું પરમ સુખ ચાખ્યા વગર વિષયોની વાંછા જીવને
ખરેખર માટે નહિ. પુણ્યરાગની વાંછા તે પણ વિષયોની જ વાંછા છે. રાગ વગરના
અતીન્દ્રિય ચૈતન્યસુખનો સ્વાદ ચાખ્યા વગર રાગની ને વિષયોની વાંછા મટે નહિ, ને
એવા જીવને સાધુપણું ક્્યાંથી હોય? સાધુઓ તો ચૈતન્યસુખનાં અમૃતથી તૃપ્ત–તૃપ્ત
હોવાને લીધે પરમ નિષ્કાંક્ષ છે. પરમાત્મતત્ત્વની ભાવનાથી એટલે તેમાં