ઉપાધ્યાયાદિ સાધુ ભગવંતોને અમે ભક્તિથી ફરી ફરીને વંદન કરીએ છીએ.
ચૈતન્યભાવમાં વર્તે છે, રાગાદિમાં તે ખરેખર વર્તતા નથી. રાગપરિણતિ અને
ચૈતનાપરિણતિ બંને તદ્ન જુદું કામ કરે છે.
આનંદનો અનુભવ કરીને જેઓ વિષયોથી સદા વિરકત છે ને આત્મામાં સદા અનુરકત
છે એવા ચાર આરાધનાના આરાધક સાધુઓ, મોક્ષની સન્મુખ છે ને ભવથી વિમુખ છે;
એવા સાધુઓની પવિત્ર ચેતન્યદશા અમને વંઘ છે, અમે તેને વંદીએ છીએ.
અંતર્મંથના કરે છે કે અહો! ચૈતન્યવસ્તુનો મહિમા કોઈ અપૂર્વ છે,
એની નિર્વિકલ્પ પ્રતીતિને કોઈ રાગનું કે નિમિત્તનું અવલંબન નથી;
શુભભાવો અનંતવાર કર્યા છતાં ચૈતન્યવસ્તુ લક્ષમાં ન આવી, તો તે
રાગથી પાર ચૈતન્યવસ્તુ કોઈ અંતરની અપૂર્વ ચીજ છે, તેની પ્રતીત
પણ અપૂર્વ અંતર્મુખ પ્રયત્નથી થાય છે.–આમ ચૈતન્યવસ્તુને પકડવાનો
અંતર્મુખ ઉધમ તે સમ્યગ્દર્શનનો ઉપાય છે.