Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 53

background image
: ૨૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
સંતજ્ઞાનીના જ શરણે રહીશું.
–જો તો ખરી બેન! કેવી અદ્ભુત છે એમની મુદ્રા! કેવો પુણ્યપ્રભાવ એમની મુદ્રા
પર ઝળકી રહ્યો છે!! ને કેવી મહાન પ્રભાવનાનાં કાર્યો તેઓ કરી રહ્યાં છે!!
જ્ઞપ્તિ:–સખી, એ બધી વાત તારી સાચી; પણ એનાથી વિશેષ કાંઈ તને દેખાય છે?
ચિતિ:–(ઊંચે–નીચે જોઈને–) બેન, બીજું તો કાંઈ મને દેખાતું નથી; તું બતાવ!
જ્ઞપ્તિ:–
અરે બેન! મૂળ વસ્તુને જ તું તો ભૂલી ગઈ! લે સાંભળ! આ
પુણ્યપ્રભાવ આ વૈરાગ્યરસઝરતી મુદ્રા, અને આ પ્રભાવનાનાં કાર્યો–એ
કોઈની સાથે આ ધર્માત્માની ચેતના તન્મય નથી. આ જ્ઞાની–ધર્માત્માની
ચેતના તો એમના આત્મા સાથે જ તન્મય છે, ને એ ચેતનાથી જ તેઓ
પૂજય છે, તેનાથી જ તેઓ વીતરાગ છે, તેને લીધે જ તેઓ મહાન અને
મોક્ષના સાધક છે.
સાંભળ–
મંગલમય મંગલકરણ વીતરાગ–વિજ્ઞાન;
નમું તેહ જેથી થયા અરિહંતાદિ મહાન.
ચિતિ:– વાહ બેન, સાચી વાત! આપણે એવા વીતરાગી વિજ્ઞાનસ્વરૂપે
ઓળખીને જ આ ધર્માત્માની સેવા કરવાની છે....પણ બેન, એમને
વીતરાગ–વિજ્ઞાનસ્વરૂપે કેવી રીતે ઓળખવા?
જ્ઞપ્તિ:– અહા, એ ઓળખાણ તો ઘણી ગંભીર છે, ઘણી ઊંડી છે.
ચિતિ:– ભલે ગંભીર હોય, ને ભલે ઊંડી હોય, પણ આપણે શીખવી તો છે જ ને!
જ્ઞપ્તિ:–
હા, બેન! જરૂર શીખીશું. જો, તેમની પાસેના આ સમ્યગ્દ્રષ્ટિએ એમને
સાચા સ્વરૂપે ઓળખી લીધા, ને તેમના પ્રતાપે પોતાની ચેતનાને પણ
ઓળખી લીધી. પ્રવચનસારની ૮૦ મી ગાથામાં કહ્યું છે તેવું તેમણે કર્યું
ચિતિ:– વાહ બેન! તેઓ જ તેમના ખરા શિષ્ય થયા; ને તેઓ જ તેમના સાચા
સાધર્મી થયા. કેવું મજાનું આદર્શરૂપ છે આ ધર્માત્માઓનું જીવન!
જ્ઞપ્તિ:– હા સખી! એટલે તો આપણે આનંદથી એનો ઉત્સવ ઊજવીએ છીએ.
ચિતિ:– હા બેન, પણ હવે આપણે માત્ર બહારના ઉત્સવની ધામધૂમથી સંતોષ નહિ