
પણ તેમના જેવી ચેતના પ્રાપ્ત કરીને ‘અપૂર્વ ભાવમહોત્સવ’ ઊજવીશું. –
ચેતનારૂપ સ્વયં બનીને.....આનંદ–ઉત્સવ કરશું......
સમ્યક્સુખડી લેવા ચાલો....સંતજનોના ચરણે.....
જીવન અમારૂં સુખી થાયે......ગુરુજીનાં શરણે.....
ભક્તિથી સૌ શિર ઝુકાવો જ્ઞાનીઓનાં ચરણે.....
જીવને કેમ ગમતું હશે? જીવ પોતાને ભૂલીને આ પીંજરાને
જ પોતાનું સ્વરૂપ માની બેઠો. તેથી પીંજરાથી જીવ છૂટો
પડતાં ખોટી રીતે દુઃખી થાય છે.
આત્માનું શું કાંઈ ઓછું થઈ ગયું? અહીં કે બીજે ગમે ત્યાં
આત્મા પોતાના જ્ઞાન–આનંદાદિ અનંત ગુણોસહિત જ
સદાય બિરાજી રહ્યો છે, તેનું અસ્તિત્વ કદી મટી જતું નથી,
કે તેનો કોઈ જ ગુણ ઓછો થતો નથી. પછી ખેદ શેનો?
માત્ર મોહનો. મોહનું દુઃખ મરણ કરતાંય વધારે છે. માટે
મોહ છોડ.