Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >

Download pdf file of magazine: http://samyakdarshan.org/Dc21
Tiny url for this page: http://samyakdarshan.org/GXlruT

PDF/HTML Page 32 of 53

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૨૯ :
માનીએ, પણ આ ધર્માત્માની જેમ આપણે પણ એમની ચેતનાને ઓળખીશું, ને આપણે
પણ તેમના જેવી ચેતના પ્રાપ્ત કરીને ‘અપૂર્વ ભાવમહોત્સવ’ ઊજવીશું. –
ચેતનારૂપ જ્ઞાની સાચા.....એનું સેવન કરશું......
ચેતનારૂપ સ્વયં બનીને.....આનંદ–ઉત્સવ કરશું......
જ્ઞપ્તિ:–વાહ રે વાહ! સખી, ધન્ય તે મહોત્સવ....ને ધન્ય તે ચેતના!
(બન્ને સખીઓ હાથ મિલાવીને ગાતાંગાતાં ધર્માત્માની ભક્તિ કરે છે.)
ચેતનારૂપ થાવા ચાલો.....જ્ઞાનીઓના ચરણે.....
સમ્યક્સુખડી લેવા ચાલો....સંતજનોના ચરણે.....
જીવન અમારૂં સુખી થાયે......ગુરુજીનાં શરણે.....
ભક્તિથી સૌ શિર ઝુકાવો જ્ઞાનીઓનાં ચરણે.....
જ્ઞાનીઓની આનંદમય ચેતના જયવંત હોય
* ગુરુદેવ વૈરાગ્યથી કહે છે કે અરે, આ સંસારમાં વૈરાગ્યના
પ્રસંગ બન્યા જ કરે છે. કર્મરૂપી દુશ્મને જીવન હેરાન કરવા
માટે આ શરીરરૂપી પીંજરૂં બનાવ્યું છે. એ પીંજરામાં પૂરાવું
જીવને કેમ ગમતું હશે? જીવ પોતાને ભૂલીને આ પીંજરાને
જ પોતાનું સ્વરૂપ માની બેઠો. તેથી પીંજરાથી જીવ છૂટો
પડતાં ખોટી રીતે દુઃખી થાય છે.
* રે જીવ! તું વિચાર તો કર, કે દેહનું પીજરું છૂટતાં તારા
આત્માનું શું કાંઈ ઓછું થઈ ગયું? અહીં કે બીજે ગમે ત્યાં
આત્મા પોતાના જ્ઞાન–આનંદાદિ અનંત ગુણોસહિત જ
સદાય બિરાજી રહ્યો છે, તેનું અસ્તિત્વ કદી મટી જતું નથી,
કે તેનો કોઈ જ ગુણ ઓછો થતો નથી. પછી ખેદ શેનો?
માત્ર મોહનો. મોહનું દુઃખ મરણ કરતાંય વધારે છે. માટે
મોહ છોડ.