નથી, ચૈતન્યસ્વભાવરૂપ જીવ રાગાદિથી જુદો છે. ને ભેદજ્ઞાનીઓ જ્ઞાન અને રાગની
ભિન્નતાને ઓળખીને, રાગથી જુદા ચૈતન્યસ્વભાવને સાક્ષાત અનુભવે છે. અહા! અમને
તો આવો જુદો ચિદાનંદ જીવ સાક્ષાત્ દેખાય છે. હે ભાઈ! તું અંતરમાં ચૈતન્યભાવનો
અભ્યાસ કર તો તને પણ તારા અંતરમાં રાગના વિલાસથી જુદો, ચૈતન્યસ્વભાવથી
વિલસતો તારો આત્મા સાક્ષાત્ અનુભવમાં આવશે, જેના અનુભવથી તને મહાન
આનંદ થશે.
આવો જીવ સાક્ષાત્ અનુભવમાં આવે છે. અરે, એકવાર આવા આત્માને તું અંદર
ઊતરીને જો તો ખરો.... એની સન્મુખ થતાં જ તને ભવના અંતના ભણકાર આવી જશે
ને આનંદમય નિર્વાણપુરીનાં દરવાજા ખુલી જશે.
આગમની પણ સાક્ષી આપી.
આવ્યો છે....તેનું સરસ વર્ણન ‘આજ મેરે સમકિત–સાવન આયો’ એ ભજનમાં કર્યું છે.
(આ જ અંકમાં તે ભજન અર્થસહિત આપ્યું છે.’
પણ અત્યંત જુાદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે–એમ આચાર્યદેવ બહુ સરસ રીતે
સમજાવશે, ને પછી એવા આત્માના અનુભવ માટે મીઠાસથી પ્રેરણા આપશે કે હે ભાઈ!
જો તું બીજો કોલાહલ છોડીને, અમે કહીએ છીએ તેવા જીવને તારા અંતરમાં દેખવાનો
એકાગ્રચિત્તથી છમહિના અભ્યાસ કરીશ તો તને પણ જરૂર અમારી જેમ રાગાદિથી
ભિન્ન ચૈતન્યસ્વભાવનો અનુભવ થશે.