દેખાતો નથી, માટે કર્મ તે જ જીવ છે!
આવે છે;–રાગ વગર, ઈદ્રિયની અપેક્ષા વગર જ્ઞાની અંતરમાં પોતાના આત્માને એક
જ્ઞાયકસ્વભાવપણે સાક્ષાત્ અનુભવે છે.–આવો અનુભવ કરે ત્યારે આત્માને ખરેખર
માન્યો કહેવાય. અજ્ઞાનીને કર્મ જ દેખાય છે, કર્મથી જુદો જીવ દેખાતો નથી; જ્ઞાનીને
જ્ઞાનસ્વભાવમાં કર્મ દેખાતું નથી. જ્ઞાનસ્વભાવની સન્મુખ થતાં આત્મામાં કર્મનો સંબંધ
જ ક્્યાં છે? કર્મના સંબંધ વગરનો આત્મા જ્ઞાનસ્વભાવપણે ધર્મીને અનુભવાય છે.
કર્મની કીડાથી અત્યંત જુદી મારી ચેતનાની કીડા છે.–આવો અનુભવ કરે તેઓ જ
સત્યાર્થવાદી છે, તેઓ જ સત્ય આત્માને જાણનાર છે; પણ બીજા કે જેઓ આત્માને
કર્મવાળો જ દેખે છે–તેઓ પરમાર્થવાદી નથી, આત્માને તેઓ જાણનારા નથી. અરે, કર્મ
તો જડ પુદ્ગલની રચના છે–એને જીવ કોણ કહે! સર્વજ્ઞ ભગવાને તો એને અજીવ કહ્યું
છે, તે ચેતના વગરનું છે; ને જીવનો તો ચૈતન્ય–સ્વભાવરૂપ કહ્યો છે. આવા આત્માને હે
જીવ! તું જાણ.
જીવ અમને દેખતો નથી!
ચેતનરસ નથી. આત્મા તો ચેતનરસથી ભરેલો છે, તે ચેતનરસથી ભરેલો આત્મા
રાગાદિ અધ્યવસાનોથી તદ્ન જુદો ભેદજ્ઞાની સાક્ષાત્ અનુભવે છે, માટે