Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 49 of 53

background image
: ૪૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
મં ગ લ – ર ત્ન વૃ ષ્ટિ
પ૦. અરે, ચેતનાપરિણતિમાં જો સાક્ષાત ચૈતન્યપ્રભુ ન પધારે તો એને
ચેતનપરિણતિ કોણ કહે? એ તો ચેતનપ્રભુથી દૂર છે, બહાર છે.
ધર્મીની ચેતનાપરિણતિમાં તો ચૈતન્યપ્રભુ નિરંતર બિરાજમાન છે.
પ૧. ચેતનાપરિણતિ એવી છે કે તેને કોઈ રાગ સાથે મેળ ખાતો જ નથી,
એને તો પોતાના ચૈતન્યપ્રભુ સાથે જ મેળ ખાય છે.
પ૨. વાહ, મુકિતનો માર્ગ.....તેનો પણ કોઈ પરમ અદ્ભૂત મહિમા, તો જે
આત્મસ્વભાવમાંથી આવો માર્ગ નીકળ્‌યો–તેના મહિમાની શી વાત!!
પ૩. તે સ્વભાવને લક્ષમાં લેતાં જ મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે.
પ૪. અહા, ધર્માનું સ્વસંવેદન રાગથી પાર છે, ઈંદ્રિયોથી પાર છે, તે
એકલી અતીન્દ્રિય ચેતનાવડે અંતરમાં આત્માને સ્વસંવેદન–પ્રત્યક્ષ
કરે છે.
પપ. પ્રત્યક્ષજ્ઞાનનો વિષય થાય એવો જ આત્માનો અતીન્દ્રિય સ્વભાવ
છે; તે એકલા અનુમાનનો કે પરોક્ષજ્ઞાનનો વિષય થઈ શકે નહીં; ત્યાં
વિકલ્પની શી વાત?
પ૬. જેને પોતાને સ્વાનુભૂતિવડે પોતાના આત્માનું સ્વસંવેદન–પ્રત્યક્ષ થયું
છે તે જ બીજા જ્ઞાનીના અનુભવને અનુમાનથી જાણી શકે છે.
સ્વસંવેદનપ્રત્યક્ષ વગરના એકલા અનુમાનથી ધર્મીના આત્માને
ઓળખી શકાતા નથી.
પ૭. અહા, ધર્માત્માની સાચી ઓળખાણ પણ સ્વસન્મુખતાપૂર્વક જ થાય
છે. એવી ઓળખાણ કરે તે જીવ ધર્મી થઈ જ જાય.
પ૮. તે ધર્માત્માની પરિણતિ આત્મામાં ઊંડે ઊતરીને મહાઆનંદમાં મગ્ન
થઈ, તે પરમઆનંદના પંથે ચાલી; તે પોતે આનંદરૂપ છે ને મોક્ષના
પરમઆનંદને સાધે છે.
પ૯. આવી આનંદપરિણતિરૂપે પરિણમેલો જીવો તીર્થંકરોના માર્ગમાં
શોભી રહ્યા છે........... તેમને ભાવનમસ્કાર વર્તે છે. (હરિ)