‘આત્મધર્મનાં પ્રચાર’ માટેનું એક જુદું ખાતું સંસ્થામાં શરૂ કરવામાં આવેલ છે; તે
અનુસાર આત્મધર્મના પ્રચાર માટે જિજ્ઞાસુઓ તરફથી આવેલી રકમો આત્મધર્મમાં
પ્રગટ કરવામાં આવશે. અનેક વર્ષથી આત્મધર્મના હજારો વાંચકો સંસ્થાના વિકાસમાં
મહાન સહયોગ આપી જ રહ્યા છે, તેથી આત્મધર્મ આટલું સસ્તું આપીને તેનો મહાન
પ્રચાર થઈ શક્્યો છે. તત્ત્વપ્રચારમાં ‘આત્મધર્મ’ નો કેટલો મહાન ફાળો છે–એ તો
બધાય મુમુક્ષુઓ જાણે જ છે. એટલે, આવા આત્મધર્મના વિકાસ માટે ગ્રાહકોના સહકાર
ઉપર વિશ્વાસ રાખીને લવાજમ વધારવાનું બંધ રાખ્યું છે. આ રીતે આત્મધર્મનું
લવાજમ ચાર રૂપિયા જ ચાલુ રહે છે. આપના ગામના બધા ગ્રાહકોનું લવાજમ
વેલાસર ભરી દેવા સૂચના છે.
છાપીશું, અને આવા સુંદર લેખોનો સંગ્રહ કદાચ પુસ્તકરૂપે પણ છપાય. આપ જરૂર
લખી મોકલશો. લખતાં–લખતાં આપને સમ્યકત્વભાવનું ઉત્તમ ઘોલન થશે. લેખ
મોકલવાની મુદત વધારીને ભાદરવા સુદ પુનમ સુધી કરવામાં આવી છે.