Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 51 of 53

background image
: ૪૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
આત્મધર્મ –
ભારતના મુમુક્ષુઓનું અત્યંત પ્રિય આ માસિક દર મહિનાની પચીસમી તારીખે
આત્મધર્મનું વાર્ષિક લવાજમ ચાર રૂપિયા છે. એક વર્ષમાં આઠ રૂપિયાની
આ નવાવર્ષથી તેનું લવાજમ પાંચ રૂપિયા કરવા વિચારેલું, પરંતુ માનનીય
પ્રમુખશ્રીની જ્ઞાનપ્રચારની ભાવના તથા સલાહ અનુસાર, લવાજમ વધારવાને બદલે
‘આત્મધર્મનાં પ્રચાર’ માટેનું એક જુદું ખાતું સંસ્થામાં શરૂ કરવામાં આવેલ છે; તે
અનુસાર આત્મધર્મના પ્રચાર માટે જિજ્ઞાસુઓ તરફથી આવેલી રકમો આત્મધર્મમાં
પ્રગટ કરવામાં આવશે. અનેક વર્ષથી આત્મધર્મના હજારો વાંચકો સંસ્થાના વિકાસમાં
મહાન સહયોગ આપી જ રહ્યા છે, તેથી આત્મધર્મ આટલું સસ્તું આપીને તેનો મહાન
પ્રચાર થઈ શક્્યો છે. તત્ત્વપ્રચારમાં ‘આત્મધર્મ’ નો કેટલો મહાન ફાળો છે–એ તો
બધાય મુમુક્ષુઓ જાણે જ છે. એટલે, આવા આત્મધર્મના વિકાસ માટે ગ્રાહકોના સહકાર
ઉપર વિશ્વાસ રાખીને લવાજમ વધારવાનું બંધ રાખ્યું છે. આ રીતે આત્મધર્મનું
લવાજમ ચાર રૂપિયા જ ચાલુ રહે છે. આપના ગામના બધા ગ્રાહકોનું લવાજમ
વેલાસર ભરી દેવા સૂચના છે.
સમ્યગ્દર્શનસંબંધી નિબંધયોજનામાં મુદત વધે છે
અત્યાર સુધીમા જિજ્ઞાસુ–સાધર્મીઓ તરફથી પ૦ જેટલા લેખો આવી ગયા છે.
મુમુક્ષુઓનાં લેખો જોઈને પ્રસન્નતા થાય છે. આવેલા લેખોનું દોહન આત્મધર્મમાં
છાપીશું, અને આવા સુંદર લેખોનો સંગ્રહ કદાચ પુસ્તકરૂપે પણ છપાય. આપ જરૂર
લખી મોકલશો. લખતાં–લખતાં આપને સમ્યકત્વભાવનું ઉત્તમ ઘોલન થશે. લેખ
મોકલવાની મુદત વધારીને ભાદરવા સુદ પુનમ સુધી કરવામાં આવી છે.
લેખ મોકલવાનું સરનામું :
સંપાદક :– આત્મધર્મ, સોનગઢ (સૌરાષ્ટ્ર)