Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 52 of 53

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૪૯ :
જ્ઞાનીનું સ્વસંવેદન
જ્ઞાનીનું જ્ઞાન સ્વસંવેદનથી એમ જાણે છે કે––
૦ અહો હું તો આનંદસ્વરૂપ છું.
૦ ધીરતા ને ગંભીરતા તે મારી શોભા છે.
૦ વિકલ્પોના પરભાવો મને સ્પર્શતા નથી.
૦ મારો સ્વભાવ મહાન ઉદાર ઊંચો છે.
૦ મારા સ્વભાવ કરતાં મોટું ઊંચું કાંઈ નથી.
૦ મારામાંથી જેટલો આનંદ કાઢું તેટલો નીકળે એવું ઉદાર હું છું.
૦ જગતના અનંત પદાર્થોને જાણવા છતાં મને કંઈ આકુળતા નથી.
૦ હું અનાકુળ શાંતરસમાં પરિણમનારું છું.
૦ આત્મામાં જ હું આરામ કરું છું–ઠરું છું.
૦ મારા અનંતગુણવૈભવને મેં સ્વીકારી લીધો છે.
૦ મેં અતીન્દ્રિય થઈને મારા મહાન સ્વભાવને અનુભવી લીધો છે.
૦ ચૈતન્ય–પાતાળમાં પ્રવેશીને મોક્ષના આનંદનો નમૂનો મેં મારામાં
ચાખી લીધો છે.
૦ હું પંચપરમેષ્ઠી ભગવંતોની પંક્તિમાં બેસનાર છું.
અહા, જ્ઞાનીનું આવું જ્ઞાન, આનંદની કેલિ કરતું–કરતું મોક્ષને સાધે છે.
અરે જીવ! તારે જીવનમાં જે કરવાનું છે તે તો તું કરતો
નથી, અને બીજા અનર્થકારી વાદવિવાદમાં કેમ રોકાઈ રહ્યો
છે! શ્રીગુરુઓ કરુણાથી કહે છે કે અરે જીવ! તું ચેત! ચેત!
તારા હિતનો આ અવસર ચૂકી ન જા. બહારના વાદવિવાદ
છોડીને તારા ચૈતન્યની અનુભૂતિમાં આત્માને જોડ......ને
ભવબંધ તોડ.