Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 41

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૩ :
ધર્માત્માનું આત્મચિંતન
અવસર આવ્યો છે આત્માની આરાધનાનો! ચૈતન્યવીરની વીરતા
ઊછળી જાય એવી પરમતત્ત્વની આ વાત છે...... અમે ચૈતન્ય–હંસલા
આનંદસરોવરમાં કેલી કરનારા ને વીતરાગી અમૃતને ચરનારા.......
અમારા શ્રદ્ધામાં–જ્ઞાનમાં પરમાત્મતત્ત્વ જયવંત વર્તે છે.
[નિયમસાર ગા. ૯૬ ઉપરનાં ચૈતન્યઉલ્લાસથી ભરપૂર પ્રચવનમાંથી ભા. સુદ પ]

જ્ઞાની ધર્માત્મા પોતાના આત્માને કેવો ધ્યાવે છે? તેનું આ વર્ણન છે–
કેવલ દરશ કેવલવીરજ કૈવલ્યજ્ઞાનસ્વભાવી છું,
વળી સૌખ્યમય છે જેહ તે હું–એમ જ્ઞાની ચિંતવે. (૯૬)
કેવળજ્ઞાનસ્વભાવી કેવળદર્શનસ્વભાવી કેવળસુખમય અને કેવળ શક્તિસ્વભાવી હું
હવે અનંતચતુષ્ટયરૂપ જે પ્રગટ પર્યાય છે તે શુદ્ધસદ્ભુત વ્યવહાર છે, એટલે તેની ભાવના
સહજજ્ઞાનસ્વરૂપ ત્રિકાળ હું છું, સહજ દર્શનસ્વરૂપ ત્રિકાળ હું છું, સહજ ચારિત્રસ્વરૂપ
અરે ભાઈ, રાગવાળો વિકારવાળો શરીરવાળો પોતાને અનાદિકાળથી માનીને તેની
મિથ્યા ભાવના ભાવી ને તેથી તું ભવચક્રમાં રખડયો; પણ હવે ગુલાંટ મારીને,