Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 41

background image
: ૮ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
અમે નાનકડા સિદ્ધ
(બાળકોને મહાન સંસ્કાર આપતું નાનકડું નાટક: લે. બ્ર. હ. જૈન)
ગુરુદેવના પ્રતાપે, નાનકડા બાળકોને પણ કેવા ઉત્તમ ધર્મસંસ્કાર મળે
છે–તે આ નાનકડી નાટિક દ્વારા દેખાશે. આ નાટિકા શ્રાવણ માસમાં
સોનગઢની જૈન પાઠશાળાના બાળકોએ રજુ કરી હતી. આપના ઘરમાં
પણ ભાઈ–બેન આ નાટક ભજવી શકે તેવું છે.
(સૂત્રધાર દ્વારા મંગલાચારણ)
णमो लोए सव्व अरिहंताण...
णमो लोए सव्व सिद्धांणं...
णमो लोए सव्व आईरियाणं...
णमो लोघ सव्व उवज्झायाणं...
ण मो लो ए स व्व साहूणं.. .
ભાઈ:– અમે નાનકડા સિદ્ધ....તમે નાનકડા સિદ્ધ
બેન:– અમે નાનકડા સિદ્ધ.....તમે નાનકડા સિદ્ધ
ભાઈ:–વાહ બેન! આપણે નાનકડા સિદ્ધ–એ
વાત સાંભળતાં કેવી મીઠી–મધુરી લાગે
છે! પણ એ નાનકડા સિદ્ધ એટલે શું?
બેન:– સાંભળ ભાઈ!
“સર્વ જીવ છે સિદ્ધ સમ,
જે સ મ જે તે થા ય. ”
કુંદકુંદસ્વામી પણ કહે છે કે હું સિદ્ધ
છું....તું પણ સિદ્ધ છો....એટલે આપણે પણ
સ્વભાવથી તો સિદ્ધભગવાન જેવા જ છીએ.
પોતાનું આવું સ્વરૂપ સમજીને જેણે
સમ્યગ્દર્શન પ્રગટ કર્યું–તે જીવ મોક્ષના માર્ગમાં
આવ્યો. સિદ્ધ થવાની
શરૂઆત તેને થઈ ગઈ, તેથી તેને નાનકડા
સિદ્ધ કહેવાય છે.
ભાઈ:– હા, બેન તારી વાત સાચી એ નાનકડા
સિદ્ધને શાસ્ત્રભાષામાં ઈષત્સિદ્ધ
કહ્યા છે.
બેન:– હા, તત્ત્વાર્થસારમાં તેમને ઈષતસિદ્ધ
કહ્યા છે. વળી તેમને જિનેશ્વરના
લઘુનંદન પણ કહેવાયછે. સાંભળો–
ભેદવિજ્ઞાન જગ્યો જિનકે ઘટ
શીતલ ચિત્ત ભયો જિમ ચંદન
કેલિ કરે શિવમારગમેં
જગમાંહી જિનેશ્વરકે લઘુનંદન
ભાઈ:– વાહ રે વાહ! એ ભગવાનના પુત્રને
ધન્ય છે!! જિનસેનસ્વામીએ ગૌતમ–
સ્વામીને પણ ભગવાન પુત્ર કહ્યા છે.
બેન:– અહા, એ ભગવાનના પુત્રોને ધન્ય છે.
ગૌતમસ્વામીની જેમ બધાય સમકિતી
જીવો પણ ભગવાનના લઘુનંદન છે.
ભાઈ:– ગૌતમસ્વામી મોટા પુત્ર, ને બીજા