Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 41

background image
: ૧૮ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
અહો, આત્માના સ્વભાવની આ વાત ઉત્તમ છે, હિતકર છે. ભાઈ! એને વિપરીત ન કહો....
કઠણ ન કહો..... આ તો ભગવાને કહેલું પરમ સત્ય અને તારાથી થઈ શકે તેવું છે. ભલે
ગૃહસ્થપણામાં હો–છતાં તેનેય અંદર આત્મા છે ને! પોતાના આત્માની આરાધના તે પણ કરી
શકે છે. આવા કઠણ પંચમકાળમાં જન્મીને પણ જેણે આત્માની આરાધના કરી લીધી તે જીવ
ખરેખર ધન્ય છે.
સાક્ષાત્ સીમંધરનાથ પરમાત્માની જેમણે જાત્રા કરી એવા કુંદકુંદાચાર્યદેવ કહે છે કે અહો!
અમારા આત્મામાં આનંદની લીનતારૂપ જેટલી આરાધના વર્તે છે તે જ અમારો પરમાર્થ
આચાર છે; એનાથી વિરુદ્ધના બધાય શુભ ભાવો પણ અનાચાર છે.
આ જાણીને હે જીવ! તું શુદ્ધ આત્મામાં સ્થિરભાવ કર, પરમાત્મતત્ત્વની ભાવના કરીને સહજ
ચૈતન્યવિલાસની પરિણતિ કર, ને સહજવૈરાગ્યભાવનારૂપ પરમ ઉપેક્ષાસંયમને ધારણ કર.
આનંદની અનુભૂતિના ઘડા ભરી ભરીને તારા આત્માને સ્નાન કરાવ. બીજી બધી લૌકિક
વિકલ્પજાળનું તારે શું કામ છે?
પ્રભો, તારા ચૈતન્યની આરાધના સિવાય બીજું બધુંય અનાચાર જાણીને તેને છોડ!
મુનિઓને શુભરાગ વખતે જે વ્યવહાર આચાર કહ્યા, તેને જ વીતરાગી સ્થિરતાઅપેક્ષાએ
અનાચાર કહ્યા; પરમાર્થ આચારમાં સ્થિરતાં થતાં તે વ્યવહારઆચાર છૂટી ગયા, એટલે કે
અનાચાર છૂટી ગયા ને પરમાર્થઆચારમાં સ્થિરતા થઈ.–આવો જીવ મોક્ષનો આરાધક છે.
(વ્યવહારના કાળે પણ તેને અંદર રાગથી જુદી જેટલી વીતરાગપરિણતિ છે તેટલી આરાધના
છે.)
ચોથા ગુણસ્થાને સમ્યગ્ંદ્રષ્ટિ પણ આવું સ્વરૂપ જાણે છે. ભલે હજી સ્થિરભાવરૂપ આચાર તેને
પ્રગટ્યો નથી, પણ શ્રદ્ધામાં બરાબર આવી ગયું છે કે મારા શુદ્ધ ચૈતન્યમાં સ્થિરતારૂપ
આચાર સિવાયના બધા બાહ્યભાવો તે ખરેખર અનાચર છે–છોડવા જેવા છે. જેટલી
વીતરાગતા થઈ છે તેટલો જ સમ્યક્આચાર છે.
અહો, મારો આત્મા પરમઆનંદથી ગાઢ ભરેલો છે–તેમાં વિકલ્પના પ્રવેશનો અવકાશ જ
નથી.–આમ અંતરની અનુભૂતિમાં આનંદરસના ફૂવારા ઊછળે છે–તેના વડે હું મારા
આત્માનો અભિષેક કરું છું.