Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 41

background image
: ૨૪ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
શિક્ષણવર્ગ દરમિયાન જ શ્રાવણ વદ બીજે પૂ. બેનશ્રી ચંપાબેનના જન્મદિવસનો
મંગલઉત્સવ ત્રણદિવસ ઉજવાયો. આ આનંદકારી ઉત્સવના ભાવભીના સમાચારો તેમજ પૂ.
બેનશ્રી ચંપાબેન અચિંત્ય આત્મસાધનાના મહિમાથી ભરપૂર ગૌરવપૂર્ણ વિસ્તૃત લેખ તથા
તેમનાં ગુણો પ્રત્યે અંજલિરૂપ કાવ્ય વગેરે આ અંકમાં આપવાની સંપાદકની ભાવના હતી; પણ
ત્યારપહેલાંં બ્ર. ચંદુભાઈ લેખિત લખાણો છપાઈ ગયા હોવાથી, તે બેવડાઈ ન જાય તેથી આ
અંકમાં આપી શક્્યા નથી. અહા, પૂ. બેનશ્રીના મહિમાને કોણ નથી જાણતું! ગુરુદેવની
મંગલછાયામાં આવીને આજે ૨૯ વર્ષથી તેઓશ્રીની અત્યંત નિકટતાપૂર્વક તેમનું ચૈતન્યજીવન
દેખી–દેખીને અને ગુરુદેવના શ્રીમુખે તેમની મંગલકથા સાંભળી–સાંભળીને આ બાળકને
આત્માર્થ–સાધનમાં જે પ્રરણા અને પુષ્ટિ મળ્‌યા છે તેનું વર્ણન કરવાની શક્તિ નથી.
તેમાંય, પૂ. શ્રી ચંપાબેનના પવિત્ર જાતિસ્મરણમાં આવેલી ભૂત–ભવિષ્યની મંગલકથા
છે
બીજને દિવસે ગુરુદેવ ઘણા પ્રસન્નચિત્ત હતા. સવારમાં પ્રવચન પહેલાંં ગુરુદેવે સ્વહસ્તે
સભાજનોને આ મંગલપ્રસંગની ખુશાલીમાં છહઢાળાની એકહજાર ઉપરાંપ પ્રતોની લાણી કરી
હતી. પ્રથમ બંને બહેનોને તે પુસ્તિકા ભેટ આપી હતી. અહા, જાણે ગુરુદેવ છઢાળા દ્વારા
વીતરાગવિજ્ઞાનની જ લાણી કરી રહ્યા હતા, અને સભાજનો પરમહર્ષથી તે સ્વીકારતા હતા.
પ્રવચનસમયના ગુરુદેવના મંગલ ઉદ્ગારો પણ આપ આ અંકમાં છપાયેલ પ્રવચનમાં વાંચશો.
પ્રવચન પછી સમસ્ત મુમુક્ષુ ભાઈ–બેનો પૂ. બેનશ્રીને અભિનંદવા ગયા, તે પ્રસંગે પૂ. શાંતાબેને
પણ પૂ. બેનશ્રી ચંપાબેન પ્રત્યે ભક્તિપૂર્વક પોતાના ઉપરના અચિંત્ય મહાન લોકોતર ઉપકારને
પ્રસિદ્ધ કર્યો હતો. આ ઉત્સવ દરમિયાન ધર્માત્માઓની ચેતનાપરિણતિનો અચિંત્ય મહિમા
ગુરુદેવના શ્રીમુખે વારંવાર