Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 41

background image
: ૨૬ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
બે વખત શ્રી જિનેન્દ્રભગવાનની તથા જિનવાણીની ભવ્ય રથયાત્રા નીકળી હતી.–આમ
આનંદભર્યા વાતા વરણમાં દશલક્ષણ મહાપર્વ ઉજવાયા હતા.
સોનગઢમાં જૈન પાઠશાળા ઘણા ઉમંગપૂર્વક ચાલી રહી છે. પચાસ જેટલા બાળકો ઉત્સાહથી
ધાર્મિક અભ્યાસ કરી રહ્યા છે. નાના બાળકો એક સાથે ધાર્મિક ગાથાઓ બોલીને વાતાવરણ
ગજાવી રહ્યા હોય ને જૈનસિદ્ધાંત ભણી રહ્યા હોય–એવાં દ્રશ્યો દેખીને આનંદ થાય છે. રાત્રે
ખાવાનું ને સીનેમા જોવાનું ઘણા બાળકોએ છોડી દીધું છે.
શ્રી જૈન પરમાગમ–મંદિરનું બાંધકામ ચાલી જ રહ્યું છે; તેમાં આરસમાં કોતરવાના અક્ષર
મશીનને બદલે હવે હાથથી કોતરાવનું નક્કી થયું છે, તે સંબંધી પણ તજવીજ ચાલુ છે.
અહા, સોનગઢમાં ગુરુદેવના પ્રતાપે જીવને જ્યારે જોઈએ ત્યારે અકષાયી–શાંતિ મળી
શકે એવું ધર્મવાતાવરણ છે. અહો જીવો! શાંતિના આ મહાન અવસરને ચુકો નહિ...બહારની
દુનિયા પાસેથી શાંતિની આશા રાખ્યા વગર, તેમજ તેમને અશાંતિનું પણ કારણ માન્યા
વગર, જ્યારે જોઈએ ત્યારે અને જેટલી જોઈએ તેટલી શાંતિ મળી શકે એવું જે સરસ મજાનું
મહાન તત્ત્વ ગુરુદેવે આપણને આપણામાં બતાવ્યું છે તેમાં જઈને શાંતરસનું વેદન કરો.
સમ્યગ્દર્શનસંબંધી નિબંધયોજના પૂરી થઈ છે. તેમાં ઘણા ઉત્સાહથી ૧૦૦ જેટલા ભાઈ–
બેનોએ ભાગ લીધો છે. ઘણા લેખો આવ્યા હોવાથી હજી વાંચવાના બાકી છે; તેથી તેની
વિગતવાર માહિતી આવતાં અંકે આત્મધર્મમાં આપીશું. લેખ લખી મોકલનારા સૌએ
સમ્યક્ત્વની જે સુંદર ભાવના ભાવી છે તે માટે ધન્યવાદ! આવેલા લેખોમાંથી મોટા ભાગના
લેખોનું લખાણ ‘આત્મધર્મ’માંથી લેવાયેલું છે; આ લખાણો ઉપરથી જિજ્ઞાસુઓમાં આત્મધર્મ
દ્વારા સમ્યક્ત્વના મહિમાના કેટલા ઊંડા સંસ્કારો રેડાયા છે તેનો ખ્યાલ આવે છે. આધુનિક
સાહિત્યમાં સમ્યગ્દર્શનનું ઈજારદાર જાણે ‘આત્મધર્મ’ જ હોય! –એવું ઊંડું તેનું સ્થાન
સાહિત્યમાં સમ્યગ્દર્શન ઈજારદાર જાણે ‘આત્મધર્મ’ જ હોય! એવું ઊંડુ તેનું સ્થાન
મુમુક્ષુહૃદયોમાં છે, અને તેથી મુમુક્ષુઓને ‘આત્મધર્મ’ પ્રત્યે ખૂબ જ આદરભાવ છે.
કલકત્તા ખૈરાગઢ અને જલગાંવમાં ધાર્મિક પાઠશાળા ઉત્સાહપૂર્વક ચાલી રહ્યાના સમાચાર છે.
બાળકો તેમજ પૌઢો પણ હોંશથી ભાગ લે છે.
કલકત્તામાં પર્યુષણ દરમિયાન બાળકોએ અકલંક–નિકલંક નાટક ભજવ્યું હતું. તેમાં