Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 41

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૩ :
મુમુક્ષુસમાજનાં શિરોમણિ છે, મહિલાસમાજનાં છત્ર છે, બ્રહ્મચારી બહેનોનાં
પ્રાણ છે અને આત્માર્થીઓનાં મહાન આદર્શ છે. માતા જેમ બાળકની સંભાળ
રાખે છે તેમ, હે ધર્મમાતા! આપના શરણે આવેલાં અમ બાળકોની સંભાળ
રાખી, ભાવી દેવાધિદેવની સભામાં આપની સાથે જ રાખજો અને શાશ્વત
જ્ઞાનાનંદની પૂર્ણ પ્રાપ્તિ સુધી આપનો કલ્યાણકારી સાથ આપજો.–એવી
અંતરની ઊર્મિથી આજ જન્મજયંતીના મંગલ દિને આપને સાદર ભાવભીની
શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિરમું છું.
–બ્ર. ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયા, સોનગઢ
(અનુસંધાન પૃષ્ઠ ૪નું ચાલુ)
છે; ધર્મરત્ન છે; હિંદુસ્તાનમાં બેન જેવું અજોડ સ્ત્રીઓમાં કોઈ છે નહિ; અજોડ રત્ન છે;
બાઈઓનાં ભાગ્ય છે કે બેન જેવા આ કાળે પાક્્યાં છે;” ઈત્યાદિ વચનો દ્વારા ભાવાર્દ્ર ચિત્તે
પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પ્રવચન પછી શ્રદ્ધાંજલિ–સમર્પણ–સમારોહમાં પ્રમુખ શ્રી
નવનીતલાલભાઈ ઝવેરી, શ્રી ખીમચંદભાઈ શેઠ, શ્રી બાબુભાઈ મહેતા તથા ચિમનલાલભાઈ
મોદીએ ભાવભીની શ્રદ્ધાંજલિ સમર્પી હતી. ત્યાર પછી જન્મજયંતિની ખુશાલીમાં ‘પ૯’ આંકના
એકમથી રૂા. ૨૨૦૦૦ ઉપરાંતની રકમો શ્રી પરમાગમમંદિર ખાતે જાહેર થઈ હતી.
આ ઉત્સવમાં પૂનમના દિને શ્રી હેમકુંવરબેન કામાણી તરફથી તથા પૂજ્ય બહેનશ્રીના
મંગલ જન્મદિને શ્રી વ્રજલાલ ભાઈલાલ શાહ, સૂરતવાળા તરફથી –એમ બે જમણ ઘણી
હોંશપૂર્વક થયાં હતાં. બીજના દિને ગુરુદેવના પ્રવચન પછી શ્રીફળની પ્રભાવના થઈ હતી. ત્રણે
દિવસ સોનગઢના મુમુક્ષુમંડળમાં ઘરદીઠ સ્ટીલનાં વાસણોની લહાણી થઈ હતી.
જન્મજયંતિના માંગલિક દિને પૂજ્ય બહેનશ્રી–બહેનના ઘરે કલ્યાણકારી પૂજ્ય ગુરુદેવના
આહારદાનનો મંગલ પ્રસંગ તથા તે પ્રસંગે પૂજ્ય બહેનશ્રી–બહેનની ગુરુભક્તિ ઉપસ્થિત જનોને
પ્રમુદિત કરતી હતી. ત્યાર પછી આશ્રમના સ્વાધ્યાય–ભવનમાં સમગ્ર મુમુક્ષુ ભાઈ–બહેનો પૂજ્ય
બહેનશ્રીનાં દર્શન કરવા આવ્યાં હતાં.
રાત્રે મહિલામુમુક્ષુસમાજમાં પૂજ્ય બહેનશ્રીનું અધ્યાત્મરસઝરતું વાંચન થયું હતું. છેવટે
બ્રહ્મચારી બહેનો વગેરે દ્વારા ગવાયેલાં પ્રસંગોચિત માંગલિક ભક્તિગીતો ઈત્યાદિપૂર્વક મહોત્સવ
પૂર્ણતાને પામ્યો હતો.
આ રીતે આત્માર્થીજનોને આહ્લાદકારક એવો આ આનંદમંગલમય ઉત્સવ સુવર્ણપુરીમાં
જયજયકારપૂર્વક ઉજવાઈ ગયો.