Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 41

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૪
ચાર રૂપિયા ભાદરવો
SEPT. 1972
વર્ષ: ૨૯: અંક ૧૧
આત્મસંશોધનું મહાન પર્વ.પર્યુષણ
‘પર્યુષણ....’ અહા! કેવા મધુરભાવ એમાં ભર્યા છે! ભાદરવા
સુદ પંચમી.....પર્યુષણપર્વનો પહેલો દિવસ એટલે ઉત્તમક્ષમા–ધર્મની
આરાધનાનો મંગલ દિવસ.
પંચમકાળના અંતે ધર્મનો અને અનાજ વગેરેનો પણ લોપ
થયો, ને લોકો અત્યંત દુઃખી–વિરાધક–અનાર્યવૃત્તિવાળા–માંસાહારી
થઈ ગયા; ૪૨૦૦૦ વર્ષ બાદ અષાડવદ એકમથી માંડીને ૪૯ દિવસ
વૃષ્ટિ થઈ ને પૃથ્વીમાં અનાજ પાકવા માऌદયું....ત્યારે ભાદરવાસુદ
પાંચમે તે અનાજ દેખીને લોકોમાં આર્યવૃત્તિ જાગી ઊઠી ને સૌએ
નિર્ણય કર્યો કે હવેથી કોઈએ માંસાહાર ન કરવો ને આ અનાજ
ઉપર નિર્વાહ કરવો....આ રીતે હિંસકવૃત્તિ છોડીને અહિંસકવૃત્તિનો
અવતાર થયો.....તે પર્યુષણનો પહેલો દિવસ. (ભાદરવા સુદ
પાંચમથી ચૌદસ સુધીના દશ દિવસ તે ઉત્તમક્ષમાદિ ધર્મની વિશેષ
આરાધનાના દિવસો એટલે કે પર્યુષણપર્વ ગણાય છે. એ જ રીતે
માહ અને ચૈત્ર માસમાં પણ દશ દિવસો દશલક્ષણી પર્યુષણપર્વ
ગણાય છે.
જીવને અનાદિથી મિથ્યાવૃત્તિ છૂટીને, જિનવાણીરૂપી વર્ષા
ઝીલીને આત્મામાં જ્યાં સમ્યક્ત્વાદિ ધર્મના અપૂર્વ અંકુરા ફૂટયા ત્યાં
અનંતાનુબંધી ક્રોધાદિભાવો છૂટીને, વીતરાગી ક્ષમાધર્મની આરાધના
શરૂ થઈ.....આત્માએ જે દિવસે આવી આરાધના શરૂ કરી તે દિવસ
તેના માટે પર્યુષણનો જ દિવસ છે. ધર્મના આરાધક