Atmadharma magazine - Ank 352
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 29

background image
: ૬ : આત્મધર્મ : માહ : ર૪૯૯ :
માંથી ઉપરના થોડાક પ્રદેશમાં છે અને અંદરના પ્રદેશોમાં નથી–એમ નથી, પર્યાય તો
સર્વ પ્રદેશોમાં છે પણ તે અશુદ્ધ પર્યાય અંદર ઊંડે એટલે કે દ્રવ્ય–ગુણમાં પ્રવેશતી નથી,
દ્રવ્ય–ગુણ અશુદ્ધ થયા નથી, માટે અશુદ્ધતાને ઉપર–ઉપરની કહી છે. તે અશુદ્ધતા વખતે
અંતરદ્રષ્ટિથી ધર્માત્મા પોતાના શુદ્ધ દ્રવ્યગુણસ્વભાવને જાણે છે, તેમ જ પર્યાયમાં જેટલી
શુદ્ધતા વર્તે છે તેને પણ જાણે છે. ને અશુદ્ધતા વિદ્યમાન છે તેને પણ (સ્વભાવથી
ભિન્નપણે) જાણે છે. બધાને જાણવા છતાં, પરમાગમના સારરૂપ શુદ્ધતત્ત્વને જ તે
અંતરમાં ઉપાદેયપણે અનુભવે છે. અહો, શુદ્ધતત્ત્વના રસિક જીવો! આવા પરમતત્ત્વને
જાણીને આજે જ તેનો અનુભવ કરો. (સમયસાર ગાથા ૧૬૮)
સમ્યગ્દર્શન થયું ત્યાં પૂર્ણાનંદસ્વરૂપ આત્મા ધર્મીના અનુભવમાં આવ્યો, ત્યાં
રાગ સાથેનો સંસર્ગ તેને છૂટી ગયો... તેની જ્ઞાનપર્યાયમાં રાગાદિનું કર્તૃત્વ ન રહ્યું, તેમાં
એકતાબુદ્ધિ ન રહી; એટલે રાગાદિ સાથે નહિ મળેલો એવો જ્ઞાનમયભાવ તેને પ્રગટ્યો;
તે જ્ઞાનમયભાવમાં રાગનું મિશ્રપણું નથી, જ્ઞાનમયભાવ રાગથી જુદો જ છે, રાગ
વગરનો જ છે. અને જ્ઞાનીનો આવો જ્ઞાનમયભાવ બંધનું જરા પણ કારણ નથી; એ તો
પોતાને રાગથી ભિન્ન સ્વભાવપણે જ પ્રકાશે છે.
અહો, પૂર્ણઆનંદધામ આત્મા જ્યાં ધ્યેયમાં આવ્યો ત્યાં ધર્મીને જ્ઞાનમય દશા
થઈ ને રાગ તેનાથી છૂટો પડી ગયો, તે ફરીને જ્ઞાન સાથે કદી એકમેક થતો નથી. જેમ
ઝાડમાંથી ખરેલું ફળ ફરીને ઝાડ સાથે ચોટતું નથી, તેમ ચૈતન્યદ્રષ્ટિથી
પૂર્ણાનંદસ્વભાવને પ્રતીતમાં લીધો ત્યાં ધર્મીના જ્ઞાનભાવથી રાગાદિભાવો છૂટા પડી
ગયા– ફળની જેમ ખરી ગયા; હવે ફરીથી કદી તે રાગાદિભાવો જ્ઞાન સાથે એક થાય
નહીં, ધર્મીનું જ્ઞાન રાગમાં કદી તન્મય થાય નહીં. સર્વજ્ઞભગવાને જેવો આત્મા જોયો
તેવો જ ધર્મીજીવ પોતાના સ્વસંવેદન–પ્રત્યક્ષ અનુભવપૂર્વક જુએ છે. અહા, અતીન્દ્રિય
આનંદના વેદનમાં રાગ કેવો? જેમ કેવળજ્ઞાનમાં રાગ નથી, તેમ સાધકના જ્ઞાનમાં પણ
રાગ નથી; રાગ હોવા છતાં તેનું જ્ઞાન રાગથી જુદું ને જુદું જ વર્તે છે. તે રાગથી ભિન્ન
પોતાના પરમ ચૈતન્યસ્વભાવને અતીન્દ્રિય આનંદસહિત અનુભવે છે; તેમાં રાગાદિ
દુઃખમય ભાવો પ્રવેશતા નથી પણ ખરી જાય છે.
અરે, ધર્મીના ચૈતન્યભાવમાં રાગનો કલેશ કેવો? અતીન્દ્રિય ચૈતન્યની શાંતિમાં
રાગની અશાંતિ કેવી? શુભ રાગ તેનું સાધન પણ થઈ શકતો નથી. અરે બાપુ! રાગ
તો દુઃખ છે, તે તારી શાંતિનું સાધન કેમ થાય? તારી શાંતિનું ખરૂં સાધન તો તારામાં
અનંત શાંતિનો સમુદ્ર ભર્યો છે– તે જ છે. આવી શાંતિના વેદન પૂર્વક