
સમાય નહીં. નાનામાં નાના રાગના કણનો પણ જેને પ્રેમ છે, –તે રાગમાં જેને શાંતિ
લાગે છે, તે જીવ વીતરાગ ભગવાનના માર્ગ ઉપર ક્રોધ કરે છે; કેમકે રાગ જેને ગમ્યો
તેને વીતરાગમાર્ગ કેમ ગમશે? વીતરાગમાર્ગનો અણગમો એ જ અનંતો ક્રોધ છે.
ચૈતન્યની પ્રાપ્તિ કદી ન થાય. આ રીતે ચૈતન્યને અને રાગને સર્વ પ્રકારે ભિન્નતા છે.
રાગથી ભિન્ન આવી ચૈતન્યક્રિયા જેણે કરી તે જીવ સુકૃત (સમ્યગ્દર્શનાદિ ઉત્તમકાર્ય)
કરનારો સુકૃતી છે. જ્ઞાન અને રાગની ભિન્નતાનું કાર્ય, એટલે કે ભેદજ્ઞાનરૂપ ઉત્તમકાર્ય
તેણે કરી લીધું, તે જીવ જ્ઞપ્તિક્રિયાનો કર્તા છે, તેની જ્ઞપ્તિક્રિયામાં આત્મા અનુભવાય છે,
તેની જ્ઞપ્તિક્રિયામાં રાગાદિ કોઈ પરભાવો અનુભવાતા નથી.
અને રાગની સાંધ વચ્ચે ભેદજ્ઞાનરૂપી વીજળી પડતાં બંને તદ્ન જુદા અનુભવાય છે.
ચૈતન્યની શાંતિના અનુભવમાં તે એકમેક થતાં નથી, કેમકે તેની જાત જુદી છે, તેના
અંશો જુદા છે, અતીન્દ્રિય આનંદના સ્વાદમાં વસનારો આત્મા રાગની આકુળતામાં કેમ
આવે? જ્યાં આત્માને સાચા સ્વરૂપે જાણ્યો ત્યાં અંદર અતીન્દ્રિય સ્વાદ આવ્યો, તે
સ્વાદરૂપે આત્મા જણાય છે; રાગના વેદનમાં આત્માનો સ્વાદ નથી, ને તે સ્વાદથી
આત્મા જણાતો નથી.