Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 41

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૧ :
પરમ સ્વભાવની ભાવના તે પરમ ભાવના છે. રાગાદિની ભાવના તે તો
વિભાવની ભાવના છે. રાગના– વિકલ્પના કોઈ અંશમાં ક્્યાંય ઊંડે ઊંડે પણ મીઠાસ
રહે, કે તેના સાધનથી આત્માનો અનુભવ સહેલો પડશે. – એમ માને, તો તેને રાગથી
પાર પરમસ્વભાવની ભાવના હોઈ શકે નહિ. જ્ઞાનીને તો સદાય પોતાના અંતરમાં
આવા પરમ સ્વભાવની જ સન્મુખતા છે. આવા સ્વભાવની ભાવના તે જૈન
પરમેશ્વરનો માર્ગ છે.
જેને સમ્યક્ત્વ થયું, જેને ચૈતન્યઆંખ ઊઘડી તે પોતાના અંતરમાં
કેવળજ્ઞાનસ્વભાવી કારણપરમાત્માને જયવંત દેખે છે, તેનો તેને કદી વિરહ નથી. બાપુ,
આવો તારો પરમસ્વભાવ, તેને તું જરાય મોળો કરીશ નહિ, તેના પરમ અચિંત્ય
મહિમાને તું જરાય ઢીલો કરીશ નહીં. પરમ મહિમાથી તેને ગ્રહણ કરતાં (એટલે કે
શ્રદ્ધામાં –જ્ઞાનમાં – ચિંતનમાં લેતાં) રાગાદિ સમસ્ત પરભાવો છૂટી જશે – એ જ
મોક્ષના કારણરૂપ સાચું પ્રત્યાખ્યાન છે.
અહો, પરમસ્વભાવી ચૈતન્યનું સ્વસંવેદન! તેમાં ભવનાં કોઈ ભાવનો પ્રવેશ
નથી ભવ અને ભવના ભાવો તેનાથી તદ્ન બહાર છે. આવા ચૈતન્યનું ચિંતન કરતાં જ
મોહશત્રુની ધજા ઊડી જાય છે. પર્યાય તો અંદર પરમાત્મસ્વભાવની ભાવનારૂપે
પરિણમી ગઈ, ત્યાં હવે મોહ રહે શેમાં? અંતર્મુખ થયેલી ધર્મીની પર્યાયમાં મોહ તો
ક્ષયવંત છે, ને પરમાત્મતત્ત્વ જયવંત છે. એ પર્યાય તો રાગથી પાર થઈને સિદ્ધનાં
દરબારમાં પહોંચી ગઈ, તેમાં હવે પરભાવ કેવો? અહો, આવી ભાવનામાં અપૂર્વ આનંદ
છે, તે ભાવના સદા ભાવવા જેવી છે.
અહો, મારો આત્મા મારા અનંત જ્ઞાન–આનંદમય પરમ ભાવને કદી છોડતો
નથી, સદાય પરમસ્વભાવરૂપ જ હું છું, અને સંસારના કારણરૂપ રાગાદિ પરભાવો તેને
મારો આત્મા કદી ગ્રહતો નથી, તે પરભાવરૂપે હું કદી થઈ જતો નથી. વળી આ
કેવળજ્ઞાનાદિ ભાવો તે મારો સ્વભાવ, ને હું તેનો આધાર–એવા આધાર –આધેયનો
વિકલ્પ પણ મારામાં નથી, આધાર– આધેયના વિકલ્પ વગર પોતાના કારણપરમાત્માને
સહજ અંતર્મુખ અવલોકન વડે હું સદાય જાણું છું. પર્યાય પોતે અંતર્મુખ થઈ ગઈ છે તેમાં
કોઈ પરભાવ રહી શકે નહિ. સદાય તે પર્યાય પરમસ્વભાવ પ્રત્યે ઢળેલી રહે છે એટલે
તેમાં તન્મય થઈને તેને જ ગ્રહે છે ને પરભાવથી છૂટી ને છૂટી રહીને તેને છોડે છે. આ
રીતે ધર્મીને સદાય પ્રત્યાખ્યાન વર્તે છે. તેની એકકેય પર્યાય એવી