જાય છે. નિરાકુળ ચૈતન્યસ્વાદરૂપ જ્ઞાન તો હું છું, ને રાગાદિ આકુળસ્વાદરૂપ બંધ તે હું
નથી, બંનેનું સ્વરૂપ અત્યંત જુદું છે. – આ પ્રમાણે જ્ઞાનનો સ્વભાવ અને બંધનો
સ્વભાવ બંનેને જુદા જુદા ઓળખીને ભેદજ્ઞાન કરતાવેત જ પ્રજ્ઞાછીણી એવી જોરદાર
ચેતનસ્વભાવથી બહાર અજ્ઞાનભાવમાં રાખે છે. રાગાદિભાવોને જ્ઞાનપણું નથી તેથી
તેમને અજ્ઞાનમય કહ્યા. એકકોર જ્ઞાનમય આત્મા, અને જ્ઞાનમયભાવથી જુદા તે બધા
અજ્ઞાનમયભાવો – તે આત્માથી તદ્ન જુદા; આવું ભેદજ્ઞાન કરીને બંધનથી જુદા
ચૈતન્યસ્વભાવરૂપ આત્માને અનુભવવો તે જ મોક્ષનું કારણ છે. ભગવાને આવો
મોક્ષનો માર્ગ કહ્યો છે.
ચૈતન્યપણું નથી, તે તો ચૈતન્યથી ભિન્નપણે ચેત્ય છે. આત્મા ચેતક છે, તેનાથી ભિન્નપણે
રાગાદિ ભાવો ચેત્ય છે. જ્ઞાનને અને રાગને ચેતક – ચેત્યપણું છે પણ તેમને એકપણું
નથી, કર્તાકર્મપણું નથી. બંનેની જાત જ તદ્ન જુદી છે. જેમ ચેતન અને જડને એક
જાતપણું નથી, તદ્ન જુદાપણું છે, તેમ જ્ઞાનને અને રાગને પણ એકસ્વભાવપણું નથી,
થઈને પોતાનો જ્ઞાનસ્વભાવપણે અનુભવ કર્યો, ને રાગથી તે છૂટી પડી – તે જ મોક્ષનું
કારણ છે. અજ્ઞાનથી પર્યાયે રાગાદિમાં તન્મયપણું માન્યું હતું ત્યારે તે પર્યાય અંતરના
સ્વભાવથી વિમુખ થઈને પરિણમતી, તે સંસાર હતો. અને જ્યાં રાગાદિથી ભિન્નતા
જાણીને અંતરમાં જ્ઞાનસ્વભાવપણે આત્માને અનુભવમાં લીધો ત્યાં દ્રવ્ય – પર્યાય
એકબીજાની સન્મુખ થયા, જ્ઞાનપર્યાય અંતરમાં એકાગ્ર થઈને પરિણમી, – ને રાગથી
સર્વથા છૂટી પડી, તે મોક્ષનું કારણ છે, અથવા તે જ્ઞાનપર્યાયમાં બંધન નથી તેથી તે
મુક્ત જ છે. ત્યાં જે રાગને બંધન છે તે કાંઈ જ્ઞાનપર્યાયમાં નથી, જ્ઞાનધારા તો તેનાથી
એકવાર ભેદજ્ઞાન કરીને જ્ઞાનનો સ્વાદ તો ચાખ!