ચૈતન્ય બંનેના સ્વાદને સર્વથા જુદા જાણીને, ચૈતન્યસ્વાદપણે પોતાને અનુભવમાં
લઈને જ્ઞાન એકાગ્ર થયું ત્યાં બંધભાવોથી તે છુંટું પડી ગયું, – આવું જ્ઞાન તે જ
મોક્ષનું સાધન છે; બીજું કોઈ મોક્ષનું સાધન છે જ નહીં. સાધ્ય ને સાધન એક
જાતના હોય, ભિન્ન જાતના ન હોય. જ્ઞાન અને રાગ તે કાંઈ એક જાતનાં નથી.
તેથી રાગ તે ભેદજ્ઞાનનું કે મોક્ષનું સાધન થઈ શકે નહીં.
ત્યાં તે જ્ઞાન કાંઈ પોતાને રાગપણે પ્રસિદ્ધ નથી કરતું, પણ પોતાને રાગથી ભિન્ન
ચેતકપણે તે પ્રસિદ્ધ કરે છે. રાગને જાણતાં જ્ઞાન કાંઈ રાગમાં ભળી જતું નથી.
ચેતક આત્મા તેનું વ્યાપ્ય તો જ્ઞાનચેતના છે, રાગાદિભાવો કાંઈ ચેતકનું વ્યાપ્ય
નથી. જ્ઞાનનો સ્વભાવ તો રાગ વગરનો છે. રાગ વગરનો આત્મલાભ થઈ શકે
છે, એટલે રાગ વગરનો આત્મા અનુભવમાં આવી શકે છે, કેમકે રાગથી ભિન્ન
ચેતનસ્વભાવી આત્મા ચૈતન્ય વગરનો કદી ન રહી શકે; જ્ઞાન વગરનો આત્મા
અનુભવમાં આવી શકે નહીં. આ રીતે જ્ઞાનલક્ષણ દ્વારા સર્વપ્રકારે રાગ અને
જ્ઞાનને અત્યંત જુદા અનુભવવા તે અરિહંતદેવનો આદેશ છે, તે જ ભવસમુદ્રના
કિનારે આવવાની નૌકા છે.
પરજ્ઞેયપણે જ્ઞાનમાં જણાય છે. જ્ઞેયપણે ભલે તે નીકટ હો, ક્ષેત્રે ભલે નીકટ હો,
પણ ભાવથી તો તે રાગને જ્ઞાનથી તદ્ન જુદાપણું છે. માટે જ્ઞાન અને રાગને
પ્રજ્ઞાછીણીવડે સર્વથા જ છેદવા. રાગના કોઈ અંશને જ્ઞાનમાં જરાય ન ભેળવવો.
રાગથી ભિન્ન એકલા ચૈતન્યસ્વાદપણે આત્માને અનુભવવો, ને રાગાદિ સર્વે
બંધભાવોને જુદા રાખવા, – આવું ભેદજ્ઞાન તે મોક્ષનું કારણ છે.
અનુભવ્યા છે (