Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 41

background image
: ૨૨ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૯
એવો જે ચૈતન્યસ્વાદ છે, તે ચૈતન્યસ્વાદમાં મોક્ષનો સ્વાદ છે. આમ રાગ અને
ચૈતન્ય બંનેના સ્વાદને સર્વથા જુદા જાણીને, ચૈતન્યસ્વાદપણે પોતાને અનુભવમાં
લઈને જ્ઞાન એકાગ્ર થયું ત્યાં બંધભાવોથી તે છુંટું પડી ગયું, – આવું જ્ઞાન તે જ
મોક્ષનું સાધન છે; બીજું કોઈ મોક્ષનું સાધન છે જ નહીં. સાધ્ય ને સાધન એક
જાતના હોય, ભિન્ન જાતના ન હોય. જ્ઞાન અને રાગ તે કાંઈ એક જાતનાં નથી.
તેથી રાગ તે ભેદજ્ઞાનનું કે મોક્ષનું સાધન થઈ શકે નહીં.
જ્ઞાનને અને રાગાદિને અત્યંત ભિન્નપણું છે. તેમને ચેતક અને ચેત્યપણું
હોવા છતાં એકપણું નથી ‘આ રાગ છે’ એમ તે રાગને જ્ઞાન ચેતે છે – જાણે છે,
ત્યાં તે જ્ઞાન કાંઈ પોતાને રાગપણે પ્રસિદ્ધ નથી કરતું, પણ પોતાને રાગથી ભિન્ન
ચેતકપણે તે પ્રસિદ્ધ કરે છે. રાગને જાણતાં જ્ઞાન કાંઈ રાગમાં ભળી જતું નથી.
ચેતક આત્મા તેનું વ્યાપ્ય તો જ્ઞાનચેતના છે, રાગાદિભાવો કાંઈ ચેતકનું વ્યાપ્ય
નથી. જ્ઞાનનો સ્વભાવ તો રાગ વગરનો છે. રાગ વગરનો આત્મલાભ થઈ શકે
છે, એટલે રાગ વગરનો આત્મા અનુભવમાં આવી શકે છે, કેમકે રાગથી ભિન્ન
ચેતનસ્વભાવી આત્મા ચૈતન્ય વગરનો કદી ન રહી શકે; જ્ઞાન વગરનો આત્મા
અનુભવમાં આવી શકે નહીં. આ રીતે જ્ઞાનલક્ષણ દ્વારા સર્વપ્રકારે રાગ અને
જ્ઞાનને અત્યંત જુદા અનુભવવા તે અરિહંતદેવનો આદેશ છે, તે જ ભવસમુદ્રના
કિનારે આવવાની નૌકા છે.
અરે ભાઈ! તુ તો ચૈતન્ય છે; ચૈતન્યપણું તારા સર્વ ગુણ – પર્યાયોમાં
વ્યાપે છે, તે જ તું છો. રાગ કાંઈ ચૈતન્યમાં વ્યાપતો નથી, તે ચૈતન્યથી ભિન્ન
પરજ્ઞેયપણે જ્ઞાનમાં જણાય છે. જ્ઞેયપણે ભલે તે નીકટ હો, ક્ષેત્રે ભલે નીકટ હો,
પણ ભાવથી તો તે રાગને જ્ઞાનથી તદ્ન જુદાપણું છે. માટે જ્ઞાન અને રાગને
પ્રજ્ઞાછીણીવડે સર્વથા જ છેદવા. રાગના કોઈ અંશને જ્ઞાનમાં જરાય ન ભેળવવો.
રાગથી ભિન્ન એકલા ચૈતન્યસ્વાદપણે આત્માને અનુભવવો, ને રાગાદિ સર્વે
બંધભાવોને જુદા રાખવા, – આવું ભેદજ્ઞાન તે મોક્ષનું કારણ છે.
અહા, જ્ઞાન અને રાગની ભિન્નતા તો જુઓ! આચાર્યદેવ કહે છે કે જ્ઞાન અને
રાગનું અત્યંત ભિન્નપણું અમે જાણ્યું છે, પ્રજ્ઞાછીણીવડે જ્ઞાન અને રાગ સર્વથા જુદા અમે
અનુભવ્યા છે (
बुध्येमहि), અમારા આવા અનુભવપૂર્વક તમને કહીએ છીએ કે
પ્રજ્ઞાછીણીવડે જ્ઞાન અને રાગને સર્વથા જુદા જાણો. જ્ઞાન અને રાગને કાંઈ