Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 41

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૩ :
એક સ્વભાવપણું નથી, બંને વચ્ચે સાંધ છે – તિરાડ છે – લક્ષણભેદ છે, તેને
ઓળખીને પ્રજ્ઞાછીણીવડે જુદા કરી શકાય છે, એટલે અંતર્મુખ પ્રજ્ઞાવડે રાગથી જુદું
જ્ઞાન અનુભવી શકાય છે. આવો અનુભવ તે જ બંધથી છૂટવાનો ને મોક્ષને
પામવાનો ઉપાય છે.
અરે, ભેદજ્ઞાનની આવી વાત કાને પડવા છતાં, સાંભળીને જે અંદર યથાર્થ
અનુભવનો પ્રયોગ નથી કરતો, તે તો બહેરો છે. અંદર જ્ઞાનમાં પ્રયોગ ન કર્યો તો
સાંભળ્‌યું શું કામનું? બાપુ! તું તો ચૈતન્યદીવો છો. દીવો તો પ્રકાશસ્વરૂપ છે, તેના
પ્રકાશમાં કોઈ મલિન વસ્તુ જણાય તોપણ દીવો કાંઈ મેલો નથી, દીવો તો
પ્રકાશસ્વભાવી દીવો જ છે. તેમ ચૈતન્યદીવો આત્મા છે તે તો પ્રકાશસ્વરૂપ જ છે,
તેના જ્ઞાનપ્રકાશમાં કોઈ રાગાદિ બંધભાવો જ્ઞેયપણે જણાય તેથી કાંઈ જ્ઞાન પોતે
રાગાદિરૂપ મેલું થઈ જતું નથી, જ્ઞાનદીવો તો જ્ઞાનસ્વરૂપ જ છે. જ્ઞાનનો સ્વાદ તો
રાગથી જુદી જાતનો ચૈતન્યમય છે. જ્ઞાનના આવા ભિન્નસ્વાદ વડે આત્માને
રાગાદિથી અત્યંત જુદો અનુભવવો તેનું નામ ભગવતીપ્રજ્ઞા છે, તે જ મોક્ષનું સાધન
છે.
રાગ જ્ઞાનમાં જ્ઞેયપણે જણાય છે, ત્યારે તે રાગને જાણનારું જ્ઞાન જ આત્માનું
લક્ષણ છે, કાંઈ રાગ આત્માનું લક્ષણ નથી. રાગને અને જ્ઞાનને ચેત્ય–ચેતકપણું છે તે
તો આત્માને જ્ઞાનસ્વભાવપણે જાહેર કરે છે કે આ જાણનાર સ્વભાવ છે તે આત્મા
છે; – પણ તે કાંઈ એમ જાહેર નથી કરતું કે આ રાગ છે તે આત્માનો સ્વભાવ છે.
રાગને તો તે જ્ઞાનથી ભિન્નપણે જાહેર કરે છે. જ્ઞાન અને રાગની આવી ભિન્નતા
જાણવી તે ખરી તીક્ષ્ણબુદ્ધિ છે; બાકી તો બધા જાણપણા થોથાં છે. અરે, એકવાર તો
પ્રજ્ઞાને અંતર્મુખ કરીને રાગથી જુદા જ્ઞાનનો સ્વાદ લે. તારું જ્ઞાન સર્વે બંધભાવોથી
છૂટું તને અનુભવમાં આવશે.
રાગ વખતે જ્ઞાન તે રાગને જાણે, ત્યાં ધર્મીને એમ સંદેહ નથી કે મારું જ્ઞાન
આ રાગરૂપ થઈ ગયું. ધર્મી તો નિઃસંદેહ પોતાને રાગથી જુદા જ્ઞાનપણે જ અનુભવે
છે, એટલે રાગને પ્રકાશતાં પણ પોતાને જ્ઞાનપણે જ પ્રસિદ્ધ કરે છે, રાગપણે નહિ;
જ્ઞાનમાં ને રાગમાં એકપણું જરાય પ્રતિભાસતું નથી, સર્વથા જુદાપણું જ ભાસે છે.
આનું નામ ભેદજ્ઞાન; આ ધર્મ છે, ને આ જ મોક્ષનું સાધન છે.
આત્માના મોક્ષનું સાધન આત્માથી જુદું ન હોય, આત્માથી અભિન્ન જ હોય.
પ્રજ્ઞાછીણી એટલે અંતર્મુખ થઈને આત્માને અનુભવનારું જ્ઞાન, તે જ આત્માને
બંધથી