એટલે કે જ્ઞાનના અનુભવથી જુદું બીજું કોઈ મોક્ષનું સાધન છે જ નહીં.
અંતર્મુખ સ્વસંવેદનજ્ઞાનવડે રાગથી જુદા જ્ઞાનસ્વાદપણે આત્મા અનુભવાય છે.
આચાર્યદેવ કહે છે કે આવો અનુભવ અમે કર્યો છે; ભિન્નપણું થઈ શકે છે તે તને કહીએ
છીએ. જ્ઞાન અને રાગ વચ્ચે મોટો લક્ષણભેદ છે, મોટી સાંધ છે, તેથી સૂક્ષ્મજ્ઞાનવડે
તેમને જુદા જાણી શકાય છે. જ્ઞાન અને રાગને એકતા નથી પણ સ્વભાવથી ભિન્નતા છે,
તેઓ બંને સાંધ વગરના નથી પણ તેમની વચ્ચે સાંધ છે – તીરાડ છે, તેથી તેમની
ભિન્નતાનો અનુભવ સૂક્ષ્મ જ્ઞાનવડે થઈ શકે છે. અહો! આવું અંતરનું ભેદજ્ઞાન
ભગવાન જિનેશ્વરદેવના માર્ગમાં જ છે. અંતરમાં આવું ભેદજ્ઞાન કરે ત્યારે તો હજી
સમ્યગ્દ્રર્શન થાય; – પછી મુનિપણું ને કેવળજ્ઞાન તે તો બહુ ઊંચી ચીજ છે. ભાઈ,
તો અલ્પકાળમાં બંધનથી તારો છૂટકારો થઈ જશે.
પરિણમ્યું, – આનું નામ ભેદજ્ઞાન છે, ને આ જ બંધને છેદનારી સૂક્ષ્મ છીણી છે.
કરી નાંખે છે; પોતે રાગાદિ બંધભાવોથી છૂટું પડીને આત્માના જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર
થાય છે. – આવી જ્ઞાનધારારૂપ ભગવતીપ્રજ્ઞા તે પોતે આનંદમય છે, અને તે જ મોક્ષનું